________________
૨૦૦
પરિણમતો નથી. શરીરાદિ તો પુદ્ગલના પર્યાય છે, તો પુદ્ગલ એ રૂપે પરિણમે છે. બાકી જીવ તો શુદ્ધ જ્ઞાન-દર્શનચારિત્ર-સુખ સ્વરૂપે પરિણમે છે. તો પ્રશ્ન થાય કે,
પ્ર0 - જીવ કેમ રાગમય વેષમય લાગે છે ? જીવ કેમ શરીરાદિ સાથે તદાકાર બન્યો છે ?
ઉ૦ - એ બધું વ્યવહારથી છે. જેવી રીતે કોઈ રસ્તે મુસાફરો લૂંટાતા હોય તો, લૂંટાય છે તો એ પ્રવાસીઓ, પણ વ્યવહાર એવો થાય છે કે “ભાઈ ! અમુક રસ્તો લૂંટાય છે.” પર્વત પરનું ઘાસ બળતાં કહેવાય છે કે પર્વત બળે છે, તેવી રીતે પુદ્ગલના પરિણામનો જીવમાં વ્યવહાર થાય છે. નિશ્ચયથી
જીવ સ્વકીય જ્ઞાનાદિગુણરૂપે જ પરિણમે છે... આવી રીતે હે પ્રભુ ! શુદ્ધતાનું ધ્યાન એ નિશ્ચયથી તારું જ ધ્યાન છે; અને એમ અંતરમાં એકાકારપણે તારી પ્રાપ્તિ જે થાય છે તે સર્વ પાપો દૂર કરનારી મહાન ઔષધિ છે.
કહો જોઉં, નિશ્ચયનયની કેવી સ્પષ્ટ વિચારણા કવિએ મૂકી ! કેવું સરસ સમર્થન નિશ્ચયદષ્ટિએ કર્યું ! એવા એ મહર્ષિને વ્યવહારમૂઢ તેજોષી, અસત્યભાષી અને અનભિજ્ઞ જ કે બીજું કાંઈ ?
(૧૬) નિશ્ચયતત્ત્વ ઉપરાંત નિશ્ચય સાધના માટે પણ શ્રી ઉપાધ્યાય મહર્ષિ ઉપદેશ છે કે,
કષ્ટ કરો સંજમ ધરો, ગાળો નિજ દેહ; શાનદશા વિણ જીવને, નહિ દુઃખનો છે. રાગદ્વેષ મલ ગાલવા, ઉપશમ જલ ઝીલો; આતમ પરિણતિ આદરી, પર-પરિણતિ પીલો. બાહિરદષ્ટિ દેખતાં બાહિર મન ધાવે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org