________________
( ૧૯૯
તિમ મુજ શક્તિથી જઇવિ ભવ સામલા, કર્મ નવિ જીવ નવિ મૂલ તે નવિ છતા, ખડીયથી ભિત્તમાં જિમ હોયે જેતતા. ભિત્તિ નવિ ખડીય નવિ તેહ ભ્રમસંગતા; દેહ નવિ વચન, નવિ જીવ, નવિ ચિત્ત છે; કર્મ નવિ રાગ, નવિ દ્વેષ, નવિ ચિત્ત છે. પુગલભાવ પુદ્ગલપણે પરિણમે, પંથીજન લૂંટતાં વાટ જિમ લૂંટીએ. શુદ્ધતા ધ્યાન ઈમ નિશ્ચયે આપનું, તુઝ સમાપત્તિ ઔષધ સકલ પાપનું.”
અર્થાત્ હે સીમંધર સ્વામી ! તમને એવી સારી રીતે અમે ધ્યાએ કે જેથી અમારો આત્મા શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય. આમ તો જો કે હું મલિન ભવોમાં ભટકી રહ્યો છું છતાં જેમ આપને પ્રગટપણે શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્મગુણો, શુદ્ધ આત્મપર્યાયો છે, તેમ મારે શક્તિરૂપે એ બધું જ છે. અર્થાત્ આત્માના ઢંકાયેલા પણ મૂળ સ્વભાવમાં તો શુદ્ધ ચેતન દ્રવ્યગુણ-પર્યાયપણું છે; નહિ કે જડ કમંદિરૂપતા. વસ્તુસ્વરૂપે તો આત્મા એ આત્મા જ છે, મૌલિક છતાં (સ) પર્યાયે જીવ એ કર્મ નથી; કર્મ એ જીવ નથી. બંનેના સ્વરૂપ સ્વતંત્ર છે, તદ્દન વિલક્ષણ છે. આત્મામાં જે કર્મમયતા, ખીરનીરરૂપે એકમયતા જણાય છે તે ઉપચારથી છે. જેમ, ભીંત પર ચૂનો લગાડ્યો તો ભીંતમાં ધોળાશ ગુણ ભાસ્યો. પણ ખરી રીતે એ ધોળાશ ચૂનાનો જ ગુણ છે; માત્ર ભીંત સાથે ચૂનો ચોંટી જવાથી ભીંત ધોળી કહેવાય છે. બાકી ચૂનો એ ભીંત નથી, ભીંત એ ચૂનો નથી. તેવી રીતે જીવ એ શરીર નથી, વાણી નથી, મન નથી, કર્મ નથી, રાગ-દ્વેષ નથી એ કાંઈ શરીરાદિ રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org