________________
૧૯૭
બહાર જગતમાં એટલે કે જડ સ્થાનોમાં ને જડની ક્રિયામાં ધર્મને શોધે છે !
વળી પૂ. ઉપાઠ મહારાજ ફરમાવે છે કે – (૧૩) ધર્મ ન કહિએ નિ તેહને, જે વિભાવ વડવ્યાધિ;
પહેલે અંગે રે એણી પરે ભાખિયું કરમે હોય ઉપાધિ. જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ; સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણ થકી, જાવ લહે શિવશર્મ...”
જે મહાવ્યાધિરૂપ વિભાવદશા છે. તેને નિશ્ચયથી ધર્મ ન કહેવાય. એમ શ્રી આચારાંગ સૂત્રમાં ફરમાવ્યું છે. તો પછી પ્રશ્ન થાય કે,
પ્ર0 - જ્ઞાનીએ ફરમાવેલા ધર્મના બાહ્ય આચારોનું શું ?
ઉ0 - એમાં જેટલા જેટલા અંશે આત્મા જ્ઞાનાદિ સ્વભાવ તરફ વળી, વિભાવથી ખસતો હોય અને નિરુપાધિક બનતો હોય, તેટલા તેટલા અંશે ધર્મમાં છે. ચોથા સમ્યક્ત્વના ગુણસ્થાનકેથી માંડીને ઠેઠ શિવસુખ પામે ત્યાં સુધી ધર્મ આ રીતે સમજવાનો છે. વીતરાગની મૂર્તિના દર્શનની બાહ્ય ક્રિયા કરી, એમાં આત્મા સ્વકીય વીતરાગદશાનો કાંક્ષી બન્યો તે ધર્મ, રાગાદિ દોષોને સહેજ પણ જો ઘસનારો બન્યો તો તેટલો ધર્મ.
(૧૪) આગળ પણ જુઓ કે નિશ્ચયધર્મનું સ્વરૂપ શાસ્ત્રસાલી સાથે કેવું સરસ બતાવે છે !
“ભગવાઈ અંગે ભાબિઓ, સામાયિક અર્થ; સામાયિક પણ આત્મા, ધરો સુધો અર્થ. લોકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org