________________
૧૯૬ )
ચિદાનંદ અવિનાસી. પુદ્ગલ ખેલ મેલ જો જગકો, સો તો સબહી વિનાસી; લિંગ, વેસ, કિરિયાકે સબહી દેખે લોક તમાસી; ચિનુ મૂરતિ ચેતન સો ચિત્તે, સાચો સોઉ સંન્યાસી...'
અર્થાત્ “ચિદાનંદ આત્મા-જ્ઞાન અને સુખ સ્વરૂપી આત્મા અવિનાશી છે. ત્યારે જુઓ કે પુદ્ગલના ખેલ જે જગતનો મેલ છે તે બધો જ વિનશ્વર છે. એવા ખેલવાળો અજ્ઞાન લોક માત્ર ઉપરના સાધુચિહ્ન સાધુવેશ અને સાધુક્રિયા તરફ દષ્ટિ નાખે છે. કેમ કે કાયા પુદ્ગલના એ ખેલ છે. તેથી એ એનો જ આદર કરે છે. જયારે સાચો સંન્યાસી, સાચો સાધુ જ્ઞાનમૂર્તિ આત્મા ઉપર દષ્ટિ રાખનારો હોય છે. કેવું સરસ નિશ્ચયદષ્ટિનું પ્રતિપાદન ! વળી બીજે એ કહે છે કે, (૧૧) કેવલ હિંગધારી તણો, જે વ્યવહાર અશુદ્ધો રે;
આદરીએ નવિ સર્વથા, જાણી ધર્મવિરુદ્ધો રે...”
અર્થાત્ એકલા સાધુવેશને ધરનારનો શુભ દેખાતો એવો પણ અશુદ્ધ ક્રિયા-વ્યવહાર એ ધર્મવિરુદ્ધ છે, એમ જાણીને માનવો-આદરવો નહિ.
ત્યારે, પૂ. ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચયનયના અભિપ્રાયને જુઓ કે, કેવો યુક્તિ પુરસ્સર બતાવે છે ! (૧૨) “જિમ તે ભૂલો રે મૃગ દશ દિશિ ફરે, લેવા મૃગમદ ગંધ;
તેમ જગ તૂટે રે બાહિરધર્મને, મિથ્યાદષ્ટિ રે અંધ.”
અર્થાત્ જેમ કસ્તૂરીની ગંધ શોધવાને કસ્તુરી મૃગ વનમાં દસેય દિશામાં ભટકે છે, પણ પોતાની પાસે જ નાભિમાં કસ્તૂરી છે, તેની તેને ખબર નથી એમ ખોટી દૃષ્ટિવાલા મિથ્યાત્વી અંધ જીવો અંતરાત્મામાં રહેલા ધર્મને જોવાને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org