________________
૧૯૩
જૈનદશા નથી. તેથી એ જે આચરે છે તે બધું મિથ્યા છે.” કહો આમાં અજ્ઞાન અને મૂઢક્રિયા વ્યવહારને કેવો નકામો ગણ્યો અને નિશ્ચયની કેટલી બધી અગત્ય ગણી ! એથી પણ કંઈક આગળ કહે છે. (૬) “પર પરિણતિ અપની કર માને, કિરિયાગર્વે ગહિલો' -
એકલા ક્રિયામાર્ગની સાધનાના અભિમાનથી ઘેલો બનેલો જીવ તો બિચારો પર પરિણતિને અર્થાત્ પર એવા પુદ્ગલની પરિણમનદશાને પોતાની દશા કરી માને છે ! પણ પોતાના આત્માની વિશુદ્ધ-અવિશુદ્ધ પરિણતિ તરફ દૃષ્ટિ જ નાખતો નથી ! એ જોતો નથી કે મારા આત્મામાં શું પરિણમ્યું ? એમાંથી અશુદ્ધ પરિણતિ રાગાદિ અશુદ્ધ પર્યાય દશા અર્થાત્ કષાય પરિણતિ ઓછી થઈ કે નહિ ? જ્ઞાન ચારિત્રાદિ શુદ્ધ પર્યાયદશા વધી કે નહિ, આ ન જોતાં એ તો માત્ર એટલું જોશે કે મારે શરીરથી ધર્મક્રિયા કેટલી થઇ ? તપથી શરીર કેટલું સૂકવ્યું ? દાનમાં ધન કેટલું ગયું ? ભક્તિમાં સામાયિકમાં કાયાને કેટલી રોકી રાખી ? આવી કાયાદિની એટલે કે માત્ર પરની પર્યાયદશા-પરપરિણતિ તરફ જોઈ એના આધારે ધર્મ કર્યાનું પ્રમાણ માપશે અને માત્ર એની વૃદ્ધિ પર ગર્વિષ્ટ બનશે. પણ આત્માની પર્યાયદશામાં સુધારા વધારા તરફ જરાય નહિ જુએ. સાચા જૈનનું આ લક્ષણ નથી. એમ કહી શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે, (૭) “જ્ઞાન સકલનય સાધન સાધો, કિરિયા જ્ઞાનકી દાસી;
ક્રિયા કરત ધરત હૈ મમતા, યાહી ગલેમેં ફાંસી.”
- અર્થાત્ સર્વનય સાધનભૂત જ્ઞાનને અવશ્ય સાધો. કેમ કે ક્રિયા તો જ્ઞાનની દાસી તરીકે રહેવાની છે. ક્રિયા માર્ગને એની નોકરી બજાવવાની છે. એટલે ? ક્રિયા કરી કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org