________________
૧૯૨
‘સ્યાદ્વાદ પૂરન જો જાને, નયગર્ભિત જસ વાચા; ગુન પર્યાય દ્રવ્ય જો બૂઝે, સોઇ જૈન હે સાચા. ક્રિયા મૂઢમતિ જો અજ્ઞાની, ચાલત ચાલ અપૂઠી; જૈન દશા ઉનમેં હી નાહી, કરે સો સબહી ડી.’
અર્થાત્ સાચો જૈન તે છે કે જે સંપૂર્ણ સ્યાદ્વાદ જાણે છે; પણ અધૂરો નહિ. એટલે કે અનેકાંતની ઘટનાને જૈન અમુક વિષયમાં સમજે અને બીજામાં ન સમજે એવું નહિ. દા.ત. નિશ્ચય માર્ગમાં અનેકાંત ન સમજે પણ એકાંત પકડી રાખે એવો એ ન હોય. એવું જ વ્યવહારમાર્ગમાં એકાંત પકડી રાખી સ્યાદ્વાદ ન સમજતો હોય, એવું ય સાચા જૈનમાં ન બને. સર્વત્ર સ્યાદ્વાદની વ્યાપકતા સમજતો હોય. તેથી એની વાણી નયસાપેક્ષ હોય.
(૫) માટે તો શ્રી આનંદઘનજી યોગીએ કહ્યું કે
‘વચન-નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો...'
વચન એટલે જિનાજ્ઞા. એની અપેક્ષા વિનાનો વ્યવહાર અસત્ય છે, મિથ્યા છે અને અપેક્ષાવાળો વ્યવહાર સત્ય છે. હવે જિનવચન સુનયાત્મક છે; તેથી સાચો વચનાદિ વ્યવહાર પણ જિનાજ્ઞાસાપેક્ષ હોઇને સુનયસાપેક્ષ હોય છે. વળી જેને દ્રવ્ય-ગુણ-પર્યાયની સમજ છે, તે સાચો જૈન છે. આમાં સાર એ છે કે સાચો જૈન માત્ર આંખ મીંચીને ક્રિયામાં ઘસડાનારો ન હોય પણ સાથે સાથે આ આ રીતે જ્ઞાનમાર્ગ અને નિશ્ચય સાધનાનો ઉદ્યમ કરનારો હોય. માટે શ્રી ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે જે અજ્ઞાની આત્મા માત્ર ક્રિયામાં મૂઢમતિવાળો બન્યો છે અને તેથી આત્માને અસ્પર્શી-ચાલે ચાલ્યો જાય છે અને આત્મામાં શુદ્ધભાવનો અંશ પણ સ્પર્શતો નથી, એનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org