________________
શ્વેતાંબર મૂર્તિપૂજક માન્ય જૈનદર્શનમાં નિશ્ચયનય
અહીં સુધીમાં શ્રી નવા પંથીની ઢંગધડા વિનાની નિશ્ચયની વાતો તથા નિમિત્તની અ-કારણતા, બાહ્ય શુભ વ્યવહારની નિરુપયોગીતા, દરેક દ્રવ્યની સ્વતંત્રતા, પુણ્યની હેયતા વગેરેના મનઘડંત સિદ્ધાંતોનું ખંડન કર્યું. હવે જે એ શ્વેતાંબરોને એકલા વ્યવહારમાર્ગી માની વ્યવહારમૂઢ કહે છે, એની સામે એ જોઇએ કે શ્વેતાંબરો પણ જૈનમતાનુસાર નિશ્ચય ઉપર પણ કેટલો બધો ભાર મૂકે છે. તેમાંય ખાસ કરીને પ્રખર ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય પૂ. શ્રી યશોવિજયજી મહારાજને એ વ્યવહારમૂઢ કહે છે. તેથી પૂ. ઉપાધ્યાયજી મહારાજના જ વચનોમાંથી નિશ્ચયનું સમર્થન જોઇએ.
નિશ્ચય-વ્યવહા૨ ગર્ભિત શ્રી શાંતિનાથ જિન સ્તવનમાં એ મહાપુરુષ કહે છે કે નિશ્ચય-માર્ગ કેવો સમર્થ છે ? (૧) ‘કર્મવિભાવ શક્તિ જે તોડે, તે સ્વભાવ શક્તિ શું જોડે;
માલા અણદેખી જે ભમતો, તે દેખી હોએ નિજગુણ રમતો.'
અર્થાત્ નિશ્ચયમતના મોક્ષમાર્ગની આરાધનાથી, આત્મા ૫૨ની જે કર્મજન્ય રાગાદિ વિભાવશક્તિ, એનો નાશ થાય છે અને શુદ્ધ જ્ઞાનાદિ સ્વભાવ શક્તિ પ્રગટ થાય છે. કેમ કે એમાં સાચું આત્મભાન થાય છે. દા.ત. માણસે કંઠી ડોકમાં પહેરી હોય, પણ એની ખબર ન. રહેવાથી બહાર શોધ્યા કરતો હોય અને ન મળવાથી દુઃખી થતો હોય છે. પરંતુ કોઇની સૂચનાથી કે સ્વતઃ હાથ ગળા પર જતાં કંઠી સ્પર્શવાથી જ્યાં કંઠી હોવાની ખબર પડી કે તરત જોઇને પાછો ખુશમાં આવી જાય છે. ખરી રીતે આમાં શું ગુમાવ્યું હતું અને પછીથી નવું શું મળ્યું ? કાંઇ જ નહિ. માત્ર કંઠી બહાર હોવાની અજ્ઞાન દશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org