________________
( ૧૮૯
જ છે એમ જે કહો છો એમાં “જ્યારે’નો અર્થ એ છે કે જે કાળ પામીને પર્યાય થવાનો છે, એમાં કાળ નિમિત્તકારણ બન્યું જ. તે કાળે જ તે કાર્ય, એટલે તે કાર્યને થવા માટે તે કાળની રાહ જોવી જ પડશે.
(૬૮) સમ્યક્ત્વનો પરિણામ તો મોક્ષમાં કારણ માનો જ છો. એ સમ્યક્ત્વ ક્ષાયિકકોટિનું થવા પૂર્વે ક્ષાયોપથમિકભાવનું હોય છે. હવે જૈન પ્રક્રિયા જો જાણતા હો તો ખબર હશે કે તેમાં શુદ્ધ કરેલા ઉજજવલ સમ્યકત્વ મોહનીય કર્મના દળીયાં (પુદ્ગલ) અનિવાર્ય કારણ છે. તો એ જડ કર્મ ચેતન જીવના સમકિત પરિણામમાં નિમિત્તકારણ બન્યા જ ને?
(૬૯) માખણનું ઉપાદાન તો દહીં છે. પણ માખણ કાઢવા દહીંમાં પાણી મેળવવાની અને રવૈયો હલાવવાની કેમ જરુર પડે છે ? એ ન કરાય ત્યાં સુધી દહીંમાંથી માખણ એમને એમ કેમ બહાર નથી પડતું ? એ સૂચવે છે કે એ નિમિત્ત કારણો વિના કાર્ય ન થાય.
(૭૦) લાકડાં બળીને કોલસા થયા, એમાં બાળનાર અગ્નિ શું જબરજસ્ત નિમિત્ત કારણ નથી ? છે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org