SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ દેવપરિણામમાં પૂર્વના મનુષ્ય-આયુનો ક્ષય અને નવા દેવાયુનો ઉદય અસાધારણ નિમિત્ત ખરું કે નહિ ? એ જ નિમિત્તની કારણતા અને પુણ્યની બલિહારી ! આત્માની જડદ્રવ્ય પર અસર જો નહિ, તો ચોક્કસ પ્રકારના કર્મનું સર્જન શી રીતે ? કર્મબંધ શાશ્વત કેમ નહિ ? (૬૪) રાગાદિની પરિણતિથી જીવની વિષયભોગમાં પ્રવૃત્તિ ખરી ? જો હા તો બાહ્ય શારીરિક વિષયસંબંધરૂપ કાર્યમાં આત્મા નિમિત્તકારણ બન્યો જ. (૬૫) બુદ્ધિમાન કારીગરથી પુદ્ગલ વધુ સારું નિર્માણ થાય ખરું ? તો એમાં બુદ્ધિમાન જીવની અસર જડદ્રવ્ય પર ન થઈ ? ખાવાની ક્રિયા કોણ કરે છે ? જો કહો કે શરીર, તો એ ક્રિયા મડદું કેમ નથી કરતું ? જો કહો કે ચેતનાવાળું શરીર એ ક્રિયાને કરે છે, તો ચેતનાની જરૂર ક્રિયામાં પડી કે નહિ? જો કહો કે એ તો અવર્જનીય સંનિધિ છે; અર્થાત્ દુર્નિવાર હાજરી છે, પણ એ કારણ નથી, તો પૂર્વે કહ્યા મુજબ એ વદતો વ્યાઘાત” છે. જેમ, કોઈ કહે કે આ સ્ત્રીએ મને જન્મ આપ્યો છે પણ એ મારી માતા નથી. (૬૬) નિમિત્તની જરૂર ન હોય તો, તો તમારું તત્ત્વ, અજ્ઞાન જીવોને સમજાવવા તમે મહેનત શા સારુ કરો છો ? શું એની ભવિતવ્યતાથી એ નહિ સમજે ? પણ ત્યાં તો તમને આશા છે કે સમજાવવાથી સમજશે, પછી નિમિત્તકારણ ઉડાવવાની આવી ભાંજગડ શા માટે ? (૬૭) કાળ એ નિમિત્તકારણ ખરું કે નહિ ? જ્યારે જે પર્યાય થવાનો નિર્ણત છે ત્યારે જ તે થાય છે, ત્યારે તે થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy