________________
XXII
સ્થાન અને જન-સમાજમાં ઉંચી પ્રતિષ્ઠા અપાતી રહી. જડ વિજ્ઞાનના શ્રીમંત હીમાયતીઓ અને જડ વિજ્ઞાનની ડીગ્રીઓવાળાને ભલે ધર્મશ્રદ્ધા, ધર્મપ્રવૃત્તિ અને પ્રાચીન શાસ્ત્રો તથા મહર્ષિઓ ઉપર અત્યંત બહુમાન ન હોય છતાં એમને ધર્મસંસ્થાઓ અને ધર્મખાતાઓમાં આગળ પડતા હોદ્દા અપાતા ગયા; સભામાં એમને આગળ સ્થાન મળતા ગયા ! સાથે સાથે ધર્મશ્રદ્ધાળુ વર્ગને અનાત્મવાદીના શિક્ષણમાં ખેંચવા માટે ધાર્મિક જ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરેના ઓઠાં રખાયાં, તેથી એ વર્ગમાંથી પણ કેટલાક લોકો ખેંચાયા.
પરંતુ, સુજ્ઞવર્ગને આ મહાચિંતાનું કારણ બન્યું છે. એ વર્ગ શુદ્ધ વ્યવહારોનો હ્રાસ અને નવી પદ્ધતિના ઝગઝગાટમાં મૂળ આધ્યાત્મિક સંસ્કરણ અને વિકસનનું રૂંધન જુએ છે. એ કહે છે કે – “પ્રગતિવાદીના ઢાંચામાં ઢળવાનું, પછી ભલે પ્રાચીન સંસ્કૃતિના રક્ષણ-વિકાસના બહાના હેઠળ હોય, પરંતુ તે દુશ્મનના લશ્કરમાં ભરતી થવા જેવું છે. અનાધ્યાત્મિક વ્યવહારોના પ્રવાહોનો ધોધ જુદા જુદા વાદો અને લાલચોની ભૂમિ ઉપર દોડી રહીને વિશ્વમાં ગુપ્ત ભાવયુદ્ધ જગાવી રહેલ છે. વર્તમાન શિક્ષિતોની સંખ્યા વધવાથી એક બાજુ તેટલા ધંધાના સ્થાન ન હોવાથી બેકારી જન્મે છે; બીજી બાજુ નવા વિદેશી ધંધા ફેલાવાથી ઘણાના જૂના ધંધા તૂટે છે. તે લોકો નવા શિક્ષણ તરફ વળી શિક્ષિત બનીને નવા ધંધામાં પ્રવેશી પાછી બેકારી વધારે છે. નવા શિક્ષણના પ્રચારમાં એક કલાક ધાર્મિકજ્ઞાનની લાલચ રાખવાથી લોકોનું વળી ઓર આકર્ષણ વધે છે. એ લોકો એવી શિક્ષણ સંસ્થા-છાત્રાલયાદિ માટે હજારો રૂપિયાના દાન કરે છે કે વિદ્યાર્થીઓ માટે ઘર કરતાંય બાદશાહી સગવડો કરે છે. એટલે પહેલાં જે અનાત્મવાદીના શિક્ષણનો ૪૦ ટકા પ્રચાર થતો હતો, તે વધીને ૫૦-૬૦-૭૦ ટકા જેવો વધી ગયો. છતાં ય ધાર્મિકતાનું સંરક્ષણ તો બાજુએ રહી ગયું છે. કેમકે-નવાં આકર્ષણો ખૂબ વધી ગયાં. જે આત્મવાદીના શુદ્ધ વ્યવહારોની મશ્કરી કરવા લાગ્યા છે. વળી કલાકના ધાર્મિકજ્ઞાનમાં પણ પ્રગતિવાદી ધોરણે એવું શિક્ષણ અપાવા માંડ્યું, કે પ્રાચીન પવિત્ર પ્રાણાલીઓ, આચારો, ધર્માત્માઓ, વગેરે તરફ નવી પ્રજાની રુચિ ઉઠતી ચાલી. ધાર્મિક-જ્ઞાન પ્રચાર થવાના થોડા લાભના ટકા દેખાડી અનાધ્યાત્મિક વ્યવહારોના ઉંડા મૂળ નંખાયા. એથી હવે સાંસ્કૃતિક શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org