________________
૧૮૪
નથી આ દંભીનું વચન છે; કેમ કે જો આત્મા ખાતો નથી તો પછી “હું ખાઉં' આવા વિકલ્પ પણ આત્મામાં ઉઠવા ન જોઇએ. ઉઠે તો છે જ તેથી બાહ્ય આહારાદિ લેવાની ક્રિયાની આત્મા પર અસર છે.
(૪૮) રજસ્વલા સ્ત્રી મંદિરમાં કેમ ન જઈ શકે ?
(૪૯) સ્ત્રીને ચારિત્ર અને મોક્ષ કેમ નહિ? એના આત્મદ્રવ્યમાં શી ખામી છે? જો કહો કે “સ્ત્રી શરીર હોવાથી કપડા જોઇએ તેથી ચારિત્ર નહિ;' તો શું ચારિત્ર નગ્ન શરીરમાં છે? આવું માનવામાં નિમિત્ત, વ્યવહાર વગેરે આગળ ક્યાં ન કર્યા?
(૫૦) અભવી જીવની વાણીથી બીજા જીવોને સમ્યગ્દર્શનાદિ થાય છે એ શું નિમિત્ત કારણની બલિહારી નથી? નહિતર તો જો એ જીવોની જ યોગ્યતા અને પુરુષાર્થ પર આધાર હોત તો તો અભવીનો ઉપદેશ મળવા પહેલાં કેમ એ ન થયા અને ઉપદેશ મળતાં જ કેમ જાગ્યા ?
(૫૧) સંસારી જીવ મૂર્ત કે અમૂર્ત ? સાંજન કે નિરંજન? કર્મબદ્ધ કે કર્મરહિત ? અમૂર્ત-નિરંજન-કર્મરહિત કહો તો પ્રશ્ન એ થશે કે ક્યા હિસાબે મોક્ષપુરુષાર્થ જરૂરી ? અને જીવ જો કર્મસહિત-સાંજન અને મૂર્નામૂર્ત છે, તો એ શાના નિમિત્તે?
(૫૨) કાર્મણ વર્ગણામાંથી કર્મ કોણ બનાવે છે ? જડ કે જીવ ? જીવ જ બનાવે છે. એ સૂચવે છે કે કર્મમાં ઉપાદાન કાર્મણવર્ગણા હોવા છતાં, જીવ કર્મમાં પ્રબળ નિમિત્તકારણ છે.
(૫૩) દ્રવ્યલેશ્યા-ભાવલેશ્યાને શો સંબંધ ? સંબંધ છે તેથી જ જડદ્રવ્યની જીવદ્રવ્ય પર અસર સાબિત થાય છે. નહિતર તો ભાવલેશ્યાનું ઉપાદાન જીવ છે. માત્ર જીવથી જ એ કાર્ય થઈ જવું જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org