________________
૧૮૧
સંધ્યા શાથી ? સંધ્યાનું ઉપાદાન કાંઈ સૂર્ય નથી ! તો પછી સૂર્યાસ્ત સૂર્યોદયના નિમિત્તની શી જરૂર ?
(૩૨) રેલવેના પાટા ઢીલા હોય કે એના પર કોઈ મોટો પ્રતિબંધ પડ્યો હોય તો ગાડી કેમ ઊતરી કે ઉથલી પડે છે ?
(૩૩) અમુક પ્રકારના વનસ્પતિ, પારો, અગ્નિ વગેરેના ચોક્કસ પ્રયોગના નિમિત્તથી જ સુવર્ણ ભસ્મ વગેરે દવાઓ કેમ તૈયાર થાય છે ? કેમ એકલા સુવર્ણાદિ ઉપાદાનને બદલે બાહ્ય પ્રયોગના વ્યવહારની તથા તે તે નિમિત્તભૂત દ્રવ્યો અને ક્રિયાની જરૂર રહે છે ?
(૩૪) સ્વસ્ત્રીભોક્તા કે સ્વપુરુષભોક્તા એ સદાચારી અને પરસ્ત્રી-પરપુરુષ-ભોક્તા એ વ્યભિચારી, એવું શાથી ? સદાચાર-વ્યભિચાર એ તો આત્માના સગુણ-દુર્ગુણ છે. એમાં બાહ્ય નિમિત્ત પર જ માપ કેમ ? અંતરમાં ભાવ બગડ્યા પણ હોય તોય વ્યવહાર, શરમ વગેરેથી જીવ બાહ્ય વ્યભિચારી ક્રિયામાં નથી જોડાતો, ત્યાં સુધી એ કંઈક ઠીક રહે છે, એ શાથી ?
(૩૫) શરીરમાં મર્મસ્થાન પર ચોંટ લાગવાથી આયુષ્યકર્મનો અંત ઝટ થાય છે, અને બીજા સ્થાને વાગવાથી મૃત્યુ ઝટ નથી થતું, એનું શું કારણ ?
(૩૬) વકીલ અસીલનો કેસ બરાબર યુક્તિ-કાયદાથી રજુ કરે તો જ અસીલ જીતે, નહિતર હારે એનું કારણ શું ? નિમિત્તકારણો ભારે કામ કરે છે કે નહિ ? હોશિયાર વકીલ લૂલા કેસને પણ કાયદાની બારીકી અને દલીલની છટાથી જીતાડી આપે છે કે નહિ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org