________________
૧૮૦
(૨૫) પાણીથી ઠંડકનો અને અગ્નિથી બળતરાનો જ અનુભવ કેમ ? અનુભવ તો જ્ઞાનરૂપ હોઇ આત્મધર્મ છે. એમાં તે તે અનુભવમાં તેવું તેવું જ દ્રવ્ય નિમિત્ત કેમ ?
(૨૬) એન્જિન ચાલે તો ડબા ચાલે, અને એન્જિન બંધ તો ડબા બંધ, એવું શાથી? ડબાની ચાલવાની ક્રિયાનું ઉપાદાન તો ડબો પોતે છે. એ સ્વતંત્ર દ્રવ્ય છે. એના પરિણામમાં બીજાની અપેક્ષા શી ?
(૨૭) ડબાનું બારણું બંધ કરતાં હાથની આંગળી કેમ સાચવો છો ? આંગળી કપાઈ અશાતા થવાની હશે તો ય એ અશાતાના કાર્યમાં ઉપાદાન તો આત્મા છે. એમાં બારણું બંધ થવાને કે આંગળી કપાવાના નિમિત્તને શું લાગેવળગે ? પણ જરૂર લાગે-વળગે છે. એમ સમજીને જ આંગળીને સાચવો છો. એજ સૂચવે છે કે નિમિત્ત જબરદસ્ત કામ કરે છે.
(૨૮) દીવાના પ્રકાશનું ઉપાદાન કારણ તો અગ્નિ પુદ્ગલો છે; પણ એમાં તેલ અને વાટની જરૂર શી ? અથવા ઇલેક્ટ્રીક દીવામાં મૂળ મશીન, વાયર-કનેકશન, ચાંપ દબાવવાનું વગેરે નિમિત્ત કારણોની અપેક્ષા શા સારું ?
(૨૯) હળદરના પાણીમાં ધોળું ખડી વગેરેનું પાણી પડવાથી પાણી ગુલાબી રંગનું કેમ થાય છે ? પરસ્પરના પુદ્ગલ ઉપર પરસ્પર નિમિત્તની અસર શાથી ? અને એ બંને નિમિત્તોની પાણી ઉપર અસર શાથી ?
(૩૦) સામાના શબ્દના આધારે એના હૃદયના ભાવનું જ્ઞાન કેમ કરાય છે ? જ્ઞાનનું ઉપાદાન તો આત્મા છે; એને એ શબ્દ નિમિત્તની શી જરૂર ?
(૩૧) સૂર્ય અસ્ત પામ્યા પછી જ કે ઉદય થવા પૂર્વે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org