________________
૧૭૯
કાઢીને પોતે પણ સહેજે નીકળી જાય છે. તેમ પાપરૂપી કચરાને કાઢવા માટે પુણ્ય એ પણ એક સાધન છે. પાપ નીકળી જતાં એ ય નીકળી જશે. એવી રીતે પાપરૂપી ગુમડા પર ધર્મદવા લગાડવા માટે પુણ્ય પટ્ટીનું કામ કરે છે. ગુમડું મટી જતાં પટ્ટીય મટી જશે.
જો નિમિત્ત અને પરદ્રવ્ય કાંઇ ન જ કરતું હોય તો
(૧૮) ટપાલમાં આવેલો કાગળ વાંચતાં જ કેમ આત્મામાં તેવા પ્રકારનું જ્ઞાન જન્મે છે ? અંદર બેઠેલા રાગદ્વેષ કેમ ઉછળી ઉઠે છે ?
(૧૯) દારૂ કે ક્લોરોફોર્મથી કેમ જ્ઞાન-ભાન જતું રહે છે? (૨૦) ચશ્માથી કેમ જોવાની શક્તિ અર્થાત્ જ્ઞાનશક્તિ જ્ઞાનમાત્રા વધે છે ?
(૨૧) માથું ભીંતે અફળાયા બરાબર કેમ આત્મામાં અશાતા જાગે છે ?
(૨૨) દર્પણમાં કેમ મૂળ વસ્તુના અનુસારે જ પ્રતિબિંબ પડે છે ?
(૨૩) વરસાદ પડે તો પાક અને સુકાળ, ન પડે તો દુકાળ, એવું શાથી ? પાકનું ઉપાદાન જોઇએ. તો તે બીજ તો પડ્યાં છે. પછી નિમિત્તની અપેક્ષા શી ?
(૨૪) સર્પદંશ-વિષભક્ષણથી આયુષ્યકર્મનો અંત શાથી? મરતાં પહેલાં કોઇ ઉતારનાર મળે તો પુનઃ આરોગ્ય શાથી ? બાહ્ય એવું સર્પઝેર કે બાહ્ય એવી મંત્રશક્તિરૂપી નિમિત્તને આયુષ્યક્ષય કે આયુષ્યસંરક્ષણરૂપી કાર્ય સાથે શું લાગે-વળગે ? છતાં એ નિમિત્ત એ કાર્ય કર્યાનું દેખો છો ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org