________________
૧૭૭
પુણ્યનીય જરૂર છે. (છ) આર્યદેશમાં પણ જો પ્લેચ્છ કુળમાં જન્મ મળે તો ય ત્યાં શું સારું પામે ? એટલે આર્યકુળ અને વિશેષે કરીને જૈનકુળના જન્મનું પુણ્ય પણ આવશ્યક છે. (જ) એમાં પણ જો સુધારક કે નાસ્તિક કુળમાં જન્મ્યો અને એમ જ ઉછર્યો તો સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણ વગેરે નહિ પામવાનો. તેથી ગુરુયોગ, શ્રવણયોગ પામવાનું પુણ્ય પણ જોઇશે જ.
આત્મા આવા આવા પુણ્ય વિના પાંગળો છે; પુણ્યથી સશક્ત છે. પુણ્યે આપેલી સામગ્રીમાં ધર્મપુરુષાર્થ સારો કરી શકે છે. એવા પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહે છે. પુણ્યાનુબંધી પુણ્ય ત્યાજય નથી, પણ ઉપાદેય છે, એના ઉપાર્જક પુણ્ય માર્ગો ઉપાદેય છે. પુણ્ય અંતે છૂટવાનું છે, ને પછી જ મોક્ષ થવાનો છે તેથી કરીને કાંઈ અત્યારથી ન છોડી દેવાય. બાળકને ચાલતાં શીખવાની ઘોડી (ઠેલણ ગાડી) પાછળથી છૂટી જવાની છે, તેથી કાંઈ પહેલેથી ઘોડી વિના ધડાધડ ન ચલાવાય; નહિતર હાથ-પગ-માથું ભાંગે. રોગીને નિરોગી બન્ચે દવા અને પથ્ય છૂટવાના જ છે તેથી કાંઈ રોગદશામાં જ દવા-પથ્ય છોડી ન દેવાય. તેમ બાળ આત્માને પુણ્ય એ ટેકો છે. મોક્ષ થતાં આત્મા સશક્ત બનશે ત્યાં પુણ્ય છૂટી જશે. સંસારી જીવ રોગી છે, તેથી પુણ્યના ઉપચારની જરૂર છે. નિરોગી થવાની છેલ્લી ઘડીએ આત્માના અતિસામર્થ્યથી અને પુણ્યકર્મોની સ્થિતિપરિપાકાદિ અવસ્થાથી પુણ્ય છૂટી જશે.
(૧૫) “પાવાનું મ્મમાં નિધાયડ્રાઈ' કહ્યું, પણ “TUMTM HIM...' ન કહ્યું. એ સૂચવે છે કે પુણ્યનો માર્ગ બંધ નથી કરવાનો; અલબત્ત ઊંચી ઊંચી કક્ષાના નિરવદ્ય માર્ગે જતાં નીચલી કક્ષાના પુણ્ય માર્ગ છૂટી જાય એ યોગ્ય છે. પણ તેથી કાંઈ ઠેઠ નીચેની કક્ષાએ બેઠેલાને એ છોડી ન દેવાય. નીચેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org