SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ મિથ્યાત્વદેશનાના બાહ્ય શ્રવણ વ્યવહારથી અને મિથ્યાસાહિત્યના બાહ્ય વાંચન વ્યવહારથી સૃષ્ટિ-પુષ્ટિ અને વૃદ્ધિ પામ્યો છે. (૭) નવી પરણી આવેલી પત્ની, પતિના અને સાસુ વગેરેના બાહ્ય વ્યવહાર વર્તાવના આધારે પોતાનું વલણ ઘડે છે; ભલે પતિ-સાસુ વગેરેના અંતરમાં ગમે તે હોય, એ વ્યવહારની અગત્ય સૂચવે છે. (૮) વ્યસની માણસ કાંઈ એકાએક ઉગ્ર વ્યસની નથી બની ગયો, પણ વ્યસનના બાહ્ય વ્યવહારના વધતા જતા સેવનથી બન્યો છે. (૯) નાના છોકરાની બહુ પ્રશંસા કરવાનો વ્યવહાર આચરો, તો એનો આત્મા એ સાંભળી ગર્વિષ્ઠ અને ઉદ્ધત બને છે. બાહ્ય વ્યવહાર કેવી અને કેટલી અસર કરે છે ! (૧૦) બાહ્ય તપના વ્યવહારમાં ચઢતા ચઢતા આંતરિક ક્ષયોપશમ સિદ્ધ થવાથી આત્મતેજ-આત્મસત્ત્વ ખીલે છે. એજ વ્યવહારની ઉપયોગીતા. (૧૧) જીવવિપાકી કર્મ-પ્રકૃતિનું ફળ કોના ઉપર ? દા.ત. જ્ઞાનાવરણીય કર્મપ્રકૃતિની અસર જીવના દ્રવ્ય પર થાય છે, કેમ કે જીવમાં અજ્ઞાનપરિણામ પેદા કરે છે. આમ પરદ્રવ્યને આધીન જીવપરિણામ બન્યો. (૧૨) ઘાતકર્મ ખપી ગયા એટલે તો આત્મામાં વીતરાગસર્વજ્ઞદશા આવી, બધા કુસંસ્કાર નષ્ટ થઈ આત્મા શુદ્ધ બની ગયો, તો હવે એ સંસારમાં શા માટે? તે, હવે અઘાતી કર્મોથી આત્માને શું? હવે તો એ સીધો મોક્ષ જ પામી જાય ને ? પૂર્ણ બન્યા પછી, શુદ્ધ બન્યા પછી પણ આત્માને સંસાર-અવસ્થામાં રાખનાર અઘાતી કર્મ સિવાય બીજું કોણ છે ? કોઇ અજ્ઞાન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy