SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૪ = = છે. તેથી જ અલોકમાં એના અભાવે આત્મા ગતિ નથી કરી શકતો, એમ કહી શકાય. (૪) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ દ્રવ્યની સાર્થકતા શાના ઉપર ? એ દ્રવ્યોની સાબિતી શી ? કહેવું જ પડશે કે પર એવા જીવ-પુદ્ગલ દ્રવ્યોમાં થતા ગતિ, સ્થિતિ, અવગાહ અને વર્તના પર્યાયોમાં ક્રમશ: અસાધારણ નિમિત્ત કારણ તરીકે એ દ્રવ્યો છે. એથી એની સિદ્ધિ અને સાર્થકતા છે. વાત સાચી છે કે જીવદ્રવ્ય ગતિપરિણામને ધર્મદ્રવ્યમાંથી નહિ લે; એ તો જીવ પોતે જ ગતિરૂપે પરિણમશે; છતાં એ પરિણમવાનું જયાં સુધી ધર્માસ્તિકાય દ્રવ્ય મળે ત્યાં સુધી જ થવાનું. તેથી જ અલોકમાં ધર્મના અભાવે જીવ પુદ્ગલની ગતિ-સ્થિતિ નહિ. તો પરદ્રવ્યો પ્રબળ નિમિત્ત કારણ બન્યા જ ને ? (૫) પુદ્ગલ પરિચયથી વધેલી રાગદશા એ અભેદઅધ્યાસ (કાયામાં જ આત્મબુદ્ધિ) પુદ્ગલના ત્યાગરૂપી વ્યવહારધર્મથી ઓછા થશે. માટે તો ડૉકટર કેટલાક ક્ષયરોગીને સ્ત્રીથી દૂર ગામે રહેવાનું કહે છે. કેમ કે સ્ત્રી જો સામે હશે તો રોગી વિકારી થશે. દૂર હશે તો શાંત રહેશે. શરીર સત્ત્વ નહિ ગુમાવે. આમ બાહ્ય ત્યાગથી આંતરિક વિકારનું જોર ઓછું રહે છે; બાહ્ય સંસર્ગથી વિકાર પુષ્ટ રહે છે, વધે છે. આનું નામ આત્માની વિકાર અંગે પરદ્રવ્ય ઉપર આધીનતા રહી. (૬) નિશાળીઓ નિશાળે જવાના બાહ્ય વ્યવહારથી નિશાળ અને વિદ્યાભ્યાસના આંતરિક મમત્વવાળો બને છે. માટે આંતરિક આત્મગુણ પર બાહ્ય વ્યવહાર ઉપકારી બન્યો. નવીન પંથવાળાનો મિથ્યાત્વ પરિણામ પર એમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy