________________
૧૭૨
પણ ઓછું કરવામાં શી બુદ્ધિમત્તા છે ? ઉલટું, એની અતિ ઉપયોગીતાને જ્યારે શાસન પણ ઠામઠામ બતાવે છે, તેમજ યુક્તિ પણ સાબિત કરે છે, તો પછી એના પર સુજ્ઞ માણસે પણ ભાર મૂકીને સ્વ-પરની ખૂબજ આચરણામાં ઊતરે, એવું કરવું ઘટે. માત્ર એ આચરણાની સાથે નિશ્ચયનું લક્ષ રાખવુંરખાવવું જોઈએ, જેથી એ અમૃતક્રિયા બને; તારક નિમિત્ત બને. માટે જે મૂર્તિપૂજક શ્વેતાંબરને માન્ય શાસ્ત્રોમાં વર્ણવેલા સત્ય જૈનતત્ત્વ મુજબ નિશ્ચય મોક્ષમાર્ગ ઉપરાંત ગૃહસ્થ અને સાધુનો બાહ્ય વ્યવહાર ધર્મ, આચાર-અનુષ્ઠાન માર્ગ, ઉપાદાન ઉપરાંત નિમિત્તકારણની પ્રબળ આવશ્યકતા વગેરે જ વ્યાજબી છે.
સમયસારાદિ ગ્રંથોના આધારે નિમિત્ત કારણતાનું અને પદ્રવ્યની અસરનું સમર્થન થયું. હવે યુક્તિ અને દૃષ્ટાંતોથી પણ એવું જ સમર્થન જરા જોઈએ.
કાટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org