________________
૧૭૦
=૧૭૦) વિસ્તારથી ફરમાવ્યું છે.
(૪૮) પ્રવચનસાર ગાથા ૨૪૫મીમાં સ્પષ્ટ કર્યું છે કે “સમ સુથ્થવગુત્તા અવગુત્તા ર’ – ગાથા ૨૬૦મીમાં પણ કહ્યું છે કે, “અમોવમોગર િસુથ્થવગુત્તા સુદ્ધોવગુત્તા વા ? અર્થાત્ સાધુઓ શુદ્ધ અને શુભ બંનેય ઉપયોગવાળા હોય છે. ટીકામાં પણ કહ્યું કે શુભ ઉપયોગવાળાનેય ધર્મ હોય છે. અહીં
જ્યારે સાધુ જેવાનેય શુભ ઉપયોગ માન્યો, ને અશુભ ઉપયોગ ટાળવા કહ્યું તો પછી ગૃહસ્થને શુભ ઉપયોગમાં નુકશાન કેમ જ કહી શકાય ? પહેલાં શુભ ઉપયોગથી અશુભને ટાળવાનું કેમ જરૂરી ન હોય ? શુભમાર્ગની=પુણ્યમાર્ગની આચરણા કરી કરીને શુભ ઉપયોગ વધારતા વધારતા શુદ્ધ ઉપયોગ આવી જાય છે. માટે તો ગાથા ૨૪૬મીની ટીકામાં લખ્યું છે કે શુભ ઉપયોગવાળા સાધુમાં શુદ્ધના અનુરાગવાળું ચારિત્રનું સ્વરૂપ હોય છે, તેથી ગૃહસ્થને પણ સાંસારિક આશય-પૌગલિક સુખની આશંસા ન જોઈએ; કેમ કે તેમાં ઉપયોગ શુભ પણ રહેતો નથી. બાકી શુભોપયોગથી ગૃહસ્થ પણ આગળ વધી શકે છે. તો શુભની પણ આમ નિમિત્તકારણતા છે જ. તેથી નિમિત્ત કાંઈ કરતું નથી' એમ કહેવું, એ મૂર્ધવચન છે. મુનિ જેવાને પણ પ્રવચનસાર ગ્રંથે યોગ્ય આહારગ્રહણાદિ ઘણી શુભક્રિયાઓ અવશ્ય કર્તવ્ય કહી છે. બાહ્ય ક્રિયા અને બાહ્ય નિમિત્તો જો નપુંસક જેવા હોત તો શા માટે કર્તવ્ય કહેત ? એટલે જ બાહ્ય શુભનિમિત્ત - શુભવ્યવહારને ઉડાવનારા નૂતન પંથીઓ પોતાના જ માનેલા પ્રવચનસારાદિ ગ્રંથો અને એના રચયિતા કુંદકુંદાચાર્ય જેવાનો પણ ભયંકર દ્રોહ કરી રહ્યા છે.
(૪૯) પ્રવચનસાર ગાથા ૨૬૫મીમાં તો ત્યાં સુધી લખ્યું કે “જે શાસનના પદાર્થનું બહારથી ઘસાતું બોલે નિંદે, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org