SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬૯ નિમિત્તકારણ ન બને ? આત્મા કર્મસંયુક્ત છે ત્યાં સુધી સંસારીપણાના પર્યાયવાળો છે, એમાં પણ કર્મરૂપી પરદ્રવ્યની પરાધીનતા આવી. કર્મને જ આધારે જીવમાં સંસારી અવસ્થા, એજ જીવની પરતંત્રતા. (૪૪) ગોમટસાર જીવકાંડમાં કહ્યું કે “જીવ કર્મખેતર ખેડી એમાં અનેક પ્રકારના સુખ-દુઃખના પાક નીપજાવે છે. અહીં પણ સ્પષ્ટતયા જીવદ્રવ્યને કર્મદ્રવ્ય પર અસર કરનારો માન્યો; અને કર્મદ્રવ્યને જીવમાં સુખ-દુ:ખ કરાવનાર તરીકે માન્યું. અર્થાત્ એકબીજાને પરાધીન બન્યા, ત્યાં સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? (૫) “પદ્મનંદિ પંચ વિંશતિ'માં કહ્યું કે “આમ તો આત્મામાં ક્રોધાદિ વિકાર ન થાય, પણ જેમ રક્તમણિના સંયોગથી સ્ફટિકમાં લાલાશ દેખાય, તેમ કર્મના સંબંધથી જીવમાં ક્રોધાદિ વિકારો જન્મે છે.” આમાં પણ સ્પષ્ટપણે જીવ પરિણામમાં કર્મને નિમિત્તકારણ કહ્યું. (૪૬) પ્રવચનસાર ગાથા ૨૦૭મીમાં કહ્યું કે “વ્રત સહિત ક્રિયામાર્ગને સાંભળીને જે એમાં જોડાય તે શ્રમણ છે.” આમાં પણ શ્રમણગુણ તો આત્મપરિણામ છે, એમાં વ્રતસ્વીકાર અને ક્રિયારૂપી બાહ્ય માર્ગને નિમિત્તકારણ માન્યા ! આવું કરે તો શ્રમણપર્યાય, એટલે કે પર્યાય નિયત નહિ, પણ આવા પુરુષાર્થ પર આધાર રાખનારો માન્યો ! એવું જ. (૪૭) ગાથા ર૨૬મીમાં કહ્યું કે “યોગ્ય આહાર-વિહારવાળો એવો કષાય રહિત આત્મા શ્રમણ છે.” - આમાં પણ બાહ્ય એવી શરીરરૂપી પરદ્રવ્યની આહાર-વિહાર ક્રિયાને આત્માના શ્રમણપણામાં નિમિત્તકારણ માન્યું. ક્યાં રહી આમાં નિમિત્તની માત્ર હાજરી ? આ તો સ્પષ્ટ કારણતાજ કહે છે. એવું જ ગાથા ૨૨૮-૨મી વગેરેમાં બાહ્યતપ અને યોગ્ય આહારનું સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy