________________
૧૬૭
કારણભૂત આત્માના રાગાદિ પરિણામ છે.' કેવો સરસ વિવેક કરી બતાવ્યો ! વાત પણ સાચી છે કે નવાં કર્મને બંને સાથે ગાઢ સંબંધ થાય છે, (૧) જૂનાં કર્મ સાથે, અને (૨) જીવ સાથે. એમાં જીવ સાથે સંબંધ થવામાં એટલે કે એ નવાં કર્મમાં જીવ સંબંધનો પર્યાય ઉત્પન્ન થવામાં નિમિત્તભૂત પરદ્રવ્ય જીવના રાગાદિ પરિણામ છે.
(૪૦) ત્યારે, નિયમાનુસાર ગાથા ૫૩મીમાં તો વળી સ્પષ્ટપણે જ કહ્યું કે, ‘સમ્મત્તસ નિમિત્તે નિપુત્ત, તસ जाणया पुरिसा । अंतरहेयो (ऊ) भणिदा दंसणमोहस्स વયવસ્તુવી I' અર્થાત્ સમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં બે કારણ, (૧) એક બાહ્ય નિમિત્તકા૨ણ તે જિનવચન અને તજ્ઞ પુરુષ; (૨) બીજું આત્યંતર કારણ, તે દર્શનમોહનીયકર્મનો ક્ષય વગેરે. આમ કહેવામાં પણ એમના જ માનેલા નિયમસાર શાસ્ત્રે આત્મદ્રવ્યને સમ્યક્ત્વ પરિણામ થવામાં સ્વાતંત્ર્ય ન માન્યું ને? બાહ્ય નિમિત્ત એવા શ્રી જિનવચન પર જ પરતંત્ર માન્યું ને? પરદ્રવ્યભૂત મોહનીય કર્મના ક્ષય ઉપર જ પરાધીન માન્યું ને?
(૪૧) ‘ધવલા'માં શ્રી ભૂતબલિ સૂત્ર ૯૩માં કહે છે કે ‘મિશ્રર્દષ્ટિ, અવિરત સમ્યગ્દષ્ટિ, સંયતાસંયત અને સંયત, ગુણસ્થાનમાં અવશ્ય (લબ્ધિ) પર્યાપ્તા જીવો હોય છે.' અહીં જુઓ કે પર્યાપ્તા એટલે ? આહારાદિ પુદ્ગલના ખાસ નિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થતી આહારાદિ પરિણમાવવાની શક્તિવાળા તે પર્યાપ્તા. સ્વસ્થાનયોગ્ય શક્તિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્તા. આવાજ જીવોને મિશ્રદૃષ્ટિ વગેરે ગુણસ્થાન માન્યા. અરે ભલા! આત્માના ગુણરૂપી પરિણામમાં પુદ્ગલના ખાસ નિમિત્તની શી જરૂર હતી ? અપર્યાપ્તા જીવોને એ ગુણ ન હોય એ જ સૂચવે છે કે પુદ્ગલરૂપી પરદ્રવ્યની પણ પ્રબળ નિમિત્તકારણતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org