SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ (૩૭) પ્રવચનસાર ગાથા ૧૮૬મી પર લખે છે કે, ‘સંસાર દશામાં અશુદ્ધ પરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મપુદ્ગલજ જીવને ગ્રહે છે.' અહીં પુછો કે કર્મરજ જીવને ગ્રહે એટલે જીવમાં કોઇ પર્યાય, કોઇ પરિણામ ઉત્પન્ન થાય કે નહિ. જો થાય તો એ થવામા કર્મ૨જ-પરદ્રવ્ય કારણ બન્યું કે નહિ ? પ્રવચનસારમાં કહ્યું કે ‘રાગી જીવ કર્મને બાંધે છે, અને રાગરહિત આત્મા કર્મથી મૂકાય છે. આ નિશ્ચયથી જીવોનો બંધ જાણવો.' આમાં નિશ્ચયથી બંધનું લક્ષણ જે જણાવ્યું તેમાં પરદ્રવ્ય એવા કર્મનો જીવ સાથે સંબંધ કહ્યો, એટલે કે નિશ્ચયથી જીવમાં કર્મનિમિત્તે બંધપરિણામ ઉત્પન્ન થવાનું માન્યું. એ પણ નિમિત્તની પ્રબળ કારણતા જ સૂચવી ને ? એની જ માફક. (૩૮) સમયસારમાં એક સ્થાને કહ્યું કે જેમ સૂર્યકાંત મણિ પોતે જ પોતાના સ્વભાવથી અગ્નિરૂપે પરિણમતો નથી, પરંતુ તેમાં પડતું સૂર્યપ્રતિબિંબ એ અગ્નિ-પરિણામમાં નિમિત્ત છે. (અગ્નિનું ઉપાદાન-દ્રવ્ય જુદું છે, સૂર્યકાંત મણિ નથી; પરંતુ મણિ અને સૂર્ય કિરણનો સંબંધ એ અગ્નિમાં પ્રબળ નિમિત્ત છે.) એવી રીતે આત્મામાં થતા રાગાદિ પરિણામનું નિમિત્ત પરદ્રવ્ય સંબંધ જ છે.’ આ પણ સ્પષ્ટ તથા નિમિત્તકા૨ણ અને પરદ્રવ્યની પરદ્રવ્ય ઉપર અસર સૂચવી રહ્યું છે. (૩૯) પ્રવચનસારે પણ ગાથા ૧૭૩મીમાં કહ્યું કે, ‘àહિં પુષ્પાતાળ બંધો નીવસ રાનમાવીદિન - સ્પર્શથી પુદ્ગલમાં બંધ થાય અને રાગાદિથી જીવમાં બંધ થાય. અર્થાત્ જૂનાં કર્મમાં નવા કર્મનો એકમેક સંબંધ થયો તેમાં કાંઇ કર્મના રાગાદિ કારણ નથી, કેમ કે કર્મપુદ્ગલને રાગ-સ્વભાવ હોતો નથી; એમાં તો અન્યોન્ય સ્પર્શ અને અવગાહ કારણ છે. પરંતુ એજ નવા કર્મમાં જે આત્માનો બંધ-ખીરનીરવત્ સંબંધ થયો, એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy