________________
XX
પહેલા ગુણ સ્થાનકે નીચી અવસ્થામાં અંશતઃ શુદ્ધભાવ હોવા છતાં માર્ગની અપેક્ષાએ તે નગણ્ય છે. ત્યારે ઉચ્ચાવસ્થામાં મુખ્યપણે પ્રાથમિક કોટિનો ગણનાપાત્ર શુદ્ધ વ્યવહાર હોય છે. “આત્મા છે વગેરે ગુણસ્થાનકોના પાયા ઉપર રચાયેલા તરતમતાવાળા વ્યવહારો શુદ્ધ છે. ત્યારે “આત્મા નથી' વગેરે માન્યતા ઉપરના વ્યવહારો અશુદ્ધ વ્યવહારો છે.
શુદ્ધ વ્યવહારની અપેક્ષાએ કોઈ પણ વ્યવહારનું પાલન કરતો હોય, ચાહે તે ધંધા અંગે હોય કે રાજય અંગે હોય, ઇત્યાદિ; તો પણ “આત્મા છે' વગેરે તત્ત્વજ્ઞાનના આધાર પરની જીવન સંસ્કૃતિનું અંગ હોવાથી અંશે શુદ્ધ વ્યવહારમાં ગણાશે. એમાં પરિવર્તન પણ એ જ ભૂમિકામાં કરી શકાય. નહિતર કક્ષા બહાર જવાથી શુદ્ધ વ્યવહારનું પોષક ન રહે. આમ એટલે અંશે શુદ્ધ વ્યવહારનું પાલન તેટલે અંશે મિથ્યાત્વ-ઉન્માર્ગ વગેરે અનિષ્ટ દૂર રહેવાનાં. યુરોપિયન વ્યવહારો આત્માની સ્વતંત્ર વિદ્યમાનતા ઉપર રચાયા નહિ હોવાથી અશુદ્ધ વ્યવહારો બની આનો સામનો કરી રહ્યા છે. આમાં અહીં,
(૧) જેમણે સીધેસીધા તે યુરોપિયન વ્યવહારો અપનાવ્યા તે આગળ પડતા પ્રગતિશીલ ગણાયા.
(૨) જેઓને તેમ કરવું ન હતું, તેમની આગળ પૂર્વોક્ત શુદ્ધ વ્યવહારના આકારમાં નવા વ્યવહારો મૂકાયા; જેથી તેમને પોતાનું જ સાચવ્યાનો ભાસ થાય.
(૩) તેથી પણ વધારે મક્કમ લોકો પણ ચાલુજીવન ધોરણમાં તેને મળતા એવા પરિવર્તનમાં ફસાયા; કે જેથી પરંપરાએ પ્રગતિશીલમાં ભળી જાય.
(૪) જયાં પરિવર્તન પણ સ્વીકાર્ય નથી; ત્યાં રક્ષા મજબુતી કે સહાય કરવાને બહાને તેના ઉપર અંકુશ મૂકવાની યોજના થઈ. મુંબઈ જેવા મુખ્ય શહેરોમાં વ્યાપારી-ધંધાદારી અને ઔદ્યોગિક મથકો ઊભાં થયાં, તેમાં ગામડાઓમાંથી પણ ધંધા માટે આકર્ષાઈ આવેલા લોકોને પાદરીઓ, રાજકીય કુનેહબાજો, વર્તમાનપત્રો, બીજું સાહિત્ય, ઇત્યાદિ દ્વારા એવી ઈન્દ્રજાલિક શિખામણ મળવા માંડી, કે “તમારો ધર્મ ઉંચો છે, તમારા પૂર્વજો તેને સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org