________________
XIX
કશી આંચ સરખી આવતી નહીં. વર્તમાન પ્રગતિવાદના વ્યવહારો જેમ જેમ પૂર્વના આધ્યાત્મિક પાયા પર ચાલતા જીવન વ્યવહારોને કચડી પોતાનું સ્થાન જમાવતા જાય છે, તેમ તેમ અહિંસક મહાસંસ્કૃતિના ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ એ ચાર પુરુષાર્થ પર અવલંબેલી જીવન પદ્ધતિ તથા સંસ્કૃતિ અદશ્ય થતી જાય છે, અગર મુશ્કેલીમાં મૂકાતી જાય છે.
ભારતમાં અંગ્રેજો વગેરે વિદેશીયોના આગમન પછી આ બધું પ્રચાર પામી રહ્યું છે. શિક્ષણ સંસ્થાઓ વર્તમાન પત્રો, યાંત્રિક સાધનો, ભારતના મૂળભૂત આર્થિક શોષણોથી ઊભા કરેલા નવા વ્યાપક આર્થિક સાધનોની લાલચો વગેરે દ્વારા લોકોના જીવનના પ્રત્યેક અંગમાં તેની ઘેરી અસર પહોંચી રહી છે. ભારતના મહાપુરુષોએ “આત્મા છે, આત્મા નિત્ય છે, તે કર્તા ને ભોક્તા છે, તેનો મોક્ષ થાય છે, અને મોક્ષના ઉપાય છે.”– આ મૂળભૂત અને તાત્ત્વિક સત્ય આધાર પર ચાર પુરુષાર્થના સમગ્ર જીવન વ્યવહારોની તરતમતા રચી છે; અને તેથી કરીને જંગલી માનવો કરતાં સંસ્કારી માનવોને જુદા પાડ્યા છે. આના ઉપર અનેક પ્રકારના વ્યવહારો જેવા કે ૧ વ્યક્તિગત વ્યવહારો, ૨ કૌટુમ્બિક વ્ય૦, ૩ સામાજિક, ૪ પ્રજાકીય, ૫ રાજકીય, ૬ આંતરદેશીય વ્યવહારો, પુરુષના ૭-૮ સ્ત્રીના વ્ય), ૯ ધંધાદારીના વ્ય૦, ૧૦ ન્યાયખાતાના વ્ય૦, ૧૧ ધાર્મિક વ્ય), ૧૨-માર્ગાનુસારી વ્ય૦, ૧૩-સમ્યક્ત્વના-૧૪ શ્રાવકના, ૧૫ શ્રાવિકાના૧૬ સાધુના-૧૭ સાધ્વીના-૧૮ અપ્રમત્તમુનિના ૧૯ શ્રેણિગત ધ્યાનારુઢ, ૨૦ છબસ્થ વિતરાગ, ૨૧ ક્ષીણમોહ વીતરાગ, ૨૨ સયોગી કેવળજ્ઞાની, અને ૨૩ અયોગી કેવળજ્ઞાનીના વ્યવહારો રચાયેલા છે. આમાં સાત સુધીના કામપુરુષાર્થ વ્યવહારો ગણાય. ૮ થી ૧૦ સુધીના અર્થ પુરુષાર્થના વ્યવહારો, ૧૧ મા અને ૧૨ મા લૌકિક-ધાર્મિક વ્યવહારો, અને ૧૩ થી ૧૮ સુધીના લોકોત્તર ધાર્મિક વ્યવહારો ગણાય છે. બાકી વીતરાગ અને સર્વજ્ઞને શુદ્ધ આત્મ-જાગૃતિનો પ્રકાશ મુખ્ય બનવાથી વ્યવહાર ગૌણ બની જાય છે. છતાં શુકલ-ધ્યાનના પાયારૂપે વ્યવહારો ઉચ્ચ કક્ષામાં ઠેઠ સુધીમાં હોય છે, સર્વજ્ઞોને પણ ઉપદેશદાન, વિહાર, આહારગ્રહણ વગેરે વ્યવહારો હોવા છતાં તેની મુખ્યપણે ગણતરી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org