SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ XVIII જશે. આવા સાહિત્યથી કદાચ વિપરીત આગ્રહમાં પડેલા લોકો સીધે માર્ગે ન આવે, તો પણ બીજા અજ્ઞાન છતાં સરળ અને માર્ગના ખપી જીવોના આત્મકલ્યાણની રક્ષા માટે આવા સાહિત્યની અત્યંત આવશ્યકતા છે જ. આ પ્રસંગે વિપરીત મતની ઉત્પત્તિનું મૂળ વિચારીએ, જેથી કરીને આધ્યાત્મિક જીવન સંસ્કૃતિ અને મૂળભૂત માર્ગથી જૈનશાસનથી ઉન્માર્ગો વસ્તુતઃ કેટલા દૂર છે, તેનો ખ્યાલ વાંચકોને આવશે. નિશ્ચયનયાભાસમતની ઉત્પત્તિનું મૂળ : અને પ્રચાર - વિશ્વકલ્યાણની ભાવનાવાળી વિશ્વવત્સલ મહાઅહિંસક માનવ સંસ્કૃતિ યુગોથી જે ચાલી આવે છે, તેના પર પશ્ચિમીય જડ જડવાદે જબરજસ્ત ઘા કર્યો છે, ઈ.સ. ૧૪૯૨ થી યુરોપ અને ઈ.સ. ૧૬૦૦ થી ઇંગ્લેન્ડે આગેવાન થઈ દુનિયા પર સર્વસ્વ પોતાનું જ માની લઈને સામ્રાજ્ય સ્થાપવા પગલાં ભર્યા, ત્યારથી વાસ્તવમાં મહા અશાંતિનો-છતાં શબ્દમાં નવયુગ-નવસર્જનયુગ પરિવર્તન-પ્રગતિયુગ-વગેરેના નામે આધ્યાત્મિક મહાસંસ્કૃતિના અધઃપાતનો યુગ શરૂ થયો છે. દુનિયામાં એક બાજુ ધર્મગુરુઓને બદલે હવે પ્રજાના હિતચિંતકો તથા દોરનારા તરીકે રાજદ્વારી આગેવાનો આગળ આવ્યા છે; અને બીજા બાજુ ખ્રીસ્તી ધર્મની પ્રચાર યોજનાઓ જોરશોરથી ચાલુ થઈ ગઈ છે ! વિશ્વના આ આધુનિક નેતાઓને આધ્યાત્મિક ઉન્નતિને બદલે મુખ્યપણે જડની ઉન્નતિ ખપતી હતી, તેથી તેઓએ આજનું અચેતન વિજ્ઞાન અને યત્રવાદ-તથા તેના શિક્ષણ અને પ્રચારના મહાન આકર્ષણો ઊભા કર્યા, એ ઊભા થયેલાં આકર્ષણોએ લોકમાનસને આવર્જિત કર્યું. યુ.એન.ઓ. જેવી વિશ્વ સંસ્થા પણ એ સર્વની વિશેષ પ્રેરક અને પ્રગતિકારક બનાવાઈ ચૂકી છે. આ જડવાદે માણસના જન્મથી માંડી મરણ સુધીના વૈયક્તિક તથા સામુહિક ખાસ નાના મોટા જીવન વ્યવહારો પણ ઊભા કર્યા છે, જે ભારત જેવા દેશની પ્રજાના જીવન પર પણ વણી દેવાના પ્રયાસ થયા છે, જેથી પવિત્ર અધ્યાત્મ પ્રધાન આર્યસંસ્કૃતિના પાયા હચમચી ઉઠે તેવું થયું છે. પૂર્વકાળમાં અનાત્મવાદી જડદષ્ટિ ધરાવતા નાસ્તિકો હતા. પરંતુ એમને પણ પોતાનું જીવન, તો આત્મવાદી તત્ત્વજ્ઞાનના આધાર પર ચાલતા જીવનવ્યવહાર અને સાધનને આધીન રહીને, ચલાવવું પડતું હતું. તેથી સંસ્કૃતિને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy