SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ A ( ૧૬૩ દૂર થાય છે; પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થાય છે.” આમાં જુઓ કે કેવી સરસ (૧) ચોખી વ્યવહારની ઉપયોગિતા કહી ! એવું જ, (૨) પરદ્રવ્યની અસર, (૩) દ્રવ્યની પરતંત્રતા, (૪) નિમિત્તની સચોટ કારણતા, (૫) બાહ્યથી આત્યંતર વસ્તુની પ્રાપ્તિ વગેરે કેટકેટલું સૂચવ્યું ! તે આ રીતે - (૧) ટીકા ગ્રંથ સાંભળવાનો ચોક્ખો બાહ્ય વ્યવહાર કરવાથી આત્મસ્વરૂપ જણાય તે યાવત્ મોક્ષ મળે ત્યાં સુધી એમ લખ્યું, એ વ્યવહારની અટલ ઉપયોગીતા સૂચવી. (૨) ટીકા ગ્રંથ એ પરદ્રવ્ય છે એની આત્મા પર.અસર માની; (૩) ત્યાં આત્મદ્રવ્યની સ્વતંત્રતાને બદલે પરતંત્રતા કહી. (૪) આ ટીકા વાંચવા-સાંભળવાથી જ્ઞાન, શ્રદ્ધાન વગેરે કાર્ય થવાનું લખ્યું. તેમાં જ્ઞાનાદિ કાર્ય પ્રત્યે વાંચવાદિની ક્રિયાને સચોટ નિમિત્તકારણ કહ્યું. (૫) વાંચન એ બાહ્ય છે એનાથી આંતરિક વસ્તુને જ્ઞાન તેની પ્રાપ્તિ કહી. આટ આટલું પોતેજ સ્વીકારવા છતાં શ્વેતાંબરોએ માનેલા શુદ્ધ જૈન માર્ગની એજ વ્યવહારોપયોગીતા વગેરે વસ્તુ પર ખોટા પ્રહાર કરવા, સાચા શાસ્ત્રકાર મહર્ષિઓ ઉપર વ્યવહારમૂઢતાના આરોપ મૂકવા, એવા સિદ્ધાંતો બાંધવા કે “નિમિત્ત કશું કરતું નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, એક દ્રવ્યની બીજા પર કોઈ જ અસર નથી; આત્માદિના સર્વકાલના પર્યાય ક્રમબદ્ધ નિયત હોવાથી એમાં કાંઈ ફેરફાર કરી શકાતો નથી (અર્થાત પુરુષાર્થ નકામો છે); જીવના પર કોઈનો ઉપકાર નથી; વ્યવહાર તો અનંતીવાર આચર્યા એથી શું કલ્યાણ થયું ?..' આવું આવું માનવુંબોલવું, પણ આચરવું જુદું; આ બધું કેટલું બધું અસમંજસ, બેહૂદું, મૂર્ખતા અને મૂઢતાભર્યું ! તથા તદ્દન પોકળ અને અવિશ્વસનીય છે ! એ સામાન્ય અક્કલવાળોય સમજી શકે એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy