________________
( ૧૬૨
(૩૧) સમયસાર ગાથા ૨૮૩-૮૫ના વિવેચનમાં તો વળી સ્પષ્ટ લખે છે કે “...માટે નક્કી થયું કે પરદ્રવ્ય નિમિત્ત છે અને રાગાદિ ભાવો નૈમિત્તિક છે.” નૈમિત્તિક એટલે કાર્ય. એમાં પરદ્રવ્યને નિમિત્તકારણ માન્યું. એના સમર્થનમાં જ વળી લખે છે કે “એમ જો ન હોય તો એકલા આત્માને રાગાદિ ભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્ય કર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.” અર્થાત્ પરદ્રવ્ય કર્મને નિમિત્તકારણ ન માને તો તો એકલા આત્મારૂપી કારણે જ રાગાદિ થયા એમ બને. તેથી જો આત્મા નિત્ય, તો રાગાદિભાવોનો પોતે કર્તા તરીકે પણ નિત્ય, એટલે સદા રાગાદિભાવો કર્યા જ કરશે; તેથી મોક્ષ અસંભવિત બની જશે. આવું ન બને માટે જ માનવું પડે કે આત્મા ઉપાદાન સાથે પરદ્રવ્ય એવા ” નિમિત્ત મળવાથી રાગાદિ કાર્ય થાય છે. આમાં ક્યાં બાકી રહ્યું ? હવે એ નિમિત્ત કશું કરતું નથી. એવું બોલે એ બકવાદ કે બીજું કાંઈ ? ઉન્મત્ત વચન જ ને ?
(૩૨) સમયસાર પર વિવેચનમાં અંતે લખ્યું કે “તે (અમૃતચંદ્રીય ટીકા)ના વાંચનારા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે.” કહો કેવી ઘેલછા છે ? એક બાજુ તો, આજ સુધી જે મહાન પૂર્વાચાર્યો, શાસ્ત્રો અને વ્યવહારમાર્ગના આધારે ચાલી આવેલું જિનશાસન અહીં મળ્યું, એ સાચા ઉપકારી છે; અરે ! ખુદ તીર્થકર ભગવાન ઉપકારી છે', એમ માનવામાં મિથ્યાત્વ કહેવું છે અને બીજી બાજુ અહીં અમૃતચંદ્રનો ઉપકાર માનવો યુક્ત કહેવો છે ! શું આ પાગલપ્રલાપ નથી?
પાછું એમાં શી યુક્તતા છે. તેનુંય આમ સમર્થન કરે છે – “કારણ કે તેના વાંચવા-સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે; તેનું શ્રદ્ધાન-આચરણ થાય છે; મિથ્યાજ્ઞાનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org