SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ સ્પષ્ટપણે નિમિત્તને જ મહત્ત્વ આપી રહ્યા છે, નિમિત્ત કાંઇક કરે છે એવું કહી રહ્યા છો. ત્યારે અશાતાકર્મ, વીર્યંતરાયકર્મ અને ચારિત્ર મોહનીય કર્મ એ કાંઇ ક્ષુધાવેદન, ઇચ્છાદિનું ઉપાદાન છે પણ નિમિત્ત નથી, એવુંય નહિ કહી શકો. છેવટે, ઉપરના પ્રતિપાદનમાં ‘આ શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું' એમ લખીને તો ખરેખર કમાલ કરી ! કેમ કે શુદ્ધનયથી આત્માને ક્ષુધા, અસહ્યતા, ઇચ્છા વગેરે હોવાનું માન્યું ! પાછું તે શુદ્ઘનયથી અશાતા કર્મથી ક્ષુધા, વીર્યંતરાયથી અસહ્યતા, ચારિત્ર મોહથી ઇચ્છા, આવું આવું કહ્યું. ખરી રીતે શુદ્ઘનયમાં તો આત્મા જ્ઞાનાદિગુણ સ્વભાવી છે, એને ક્ષુધાવાળો, અસહ્યતાવાળો કહેવો તેને શુદ્ઘનયની પ્રધાનતાનું કથન કેમ કહેવાય ? જુઓ એમાં પોતાની જ સાક્ષી (૩૦) સમયસારની ગાથા ૨૭૨મી ૫૨ લખ્યું કે, ‘આત્માને પરના નિમિત્તથી જે ભાવો થાય તે વ્યવહારનયના વિષય હોવાથી, વ્યવહારનય પરાશ્રિત છે.' આમાં શુદ્ઘનય ન લેતાં વ્યવહારનય લીધો. વળી અહીં પણ ચોખ્ખું જ કહ્યું કે ‘પરના નિમિત્તથી જે ભાવો થાય;' એટલે ? એજ કે, આત્મામાં ભાવો-ક્ષુધાવેદન-ઇચ્છા, રાગ વગેરે - જે થવાના, તેમાં નિમિત્તકા૨ણ પર છે. અહીં કદાચ બચાવ કરશે કે પણ એ તો વ્યવહારથી ને ? તો એની સામે પ્રશ્ન એ છે કે ત્યારે તમેય આ બધું કહેવા કરવાનું કરી રહ્યા છો એ ય વ્યવહાર નથી તો બીજું શું છે ? મોક્ષના તમારા માનેલા જે માર્ગે દોરી રહ્યા છો એમાંય વ્યવહાર નથી આચરાવતા તો બીજું શું છે ? માત્ર શ્રી સર્વજ્ઞ પ્રભુએ ફરમાવેલા અને શ્વેતાંબર માન્ય શાસ્ત્રમાં મળતા વ્યવહાર પ્રત્યે તમને સુગ હોવાથી વ્યવહારની નિંદા કરવાનો ધંધો જ લઇ બેઠા છો ને ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy