SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ હોવા છતાંય અપરિગ્રહી છે, તો પછી શ્રાવક પણ એ રીતે કર્મઉદયનું કાર્ય જાણી રોગ મટાડવા આહાર લે તો તે પણ અપરિગ્રહી ખરો ને ?... અસ્તુ. આ તો જરા વિષયાન્તર થયો. પણ મુદ્દો એ છે કે આવું અગડંબગડે પ્રતિપાદન કરવા જતાંય પાછું નિમિત્તની કારણતા અને પરદ્રવ્યની આધીનતા અંગે કેટલુંક સાચું જાણે અજાણે કહેવાઈ ગયું છે. તે આ પ્રમાણે પહેલાં કહ્યું કે અશાતા વેદનીયના ઉદયથી મુનિનેય સુધા ઉપજે છે. આમાં સુધાવેદનનો પરિણામ અશુદ્ધ આત્માનો એક પર્યાય છે. હવે જો પર્યાય માત્ર ક્રમબદ્ધ અને નિયત છે તો એને હેતુની જરૂર નથી. પછી અમુકના લીધે, અર્થાત્ “અશાતાના ઉદયથી” એવું શાથી ? વળી અશાતા કર્મ એ પુદ્ગલ દ્રવ્ય છે એની આધીનતા જીવને રહેવાથી જીવમાં તમારું માનેલું સ્વતંત્ર દ્રવ્યપણું ક્યાં રહ્યું ? ઉપરોક્ત બીજા અને ત્રીજા પ્રતિપાદનમાં પણ કારણ તરીકે વીર્યંતરાય અને મોહનીય કર્મ લીધા, તે પુદ્ગલ છે, અને કાર્ય તરીકે અસહ્યતા અને ઈચ્છા લીધી, તે તો આત્માના પરિણામ છે. તમારા હિસાબે, આત્મા પર પરદ્રવ્ય કશું કરી શકે નહિ, તો આ શું કહી રહ્યા છો ? તમારા મતે નિમિત્ત તો માત્ર હાજર હોય એટલું જ એ કારણ નથી, તો અહીં તો તમે સ્પષ્ટ કારણ માનીને આ પ્રતિપાદન કર્યું, એનું કેમ ? ચોથી વાત જે લખી કે “તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે એમાં તો સ્પષ્ટ જ સૂચવ્યું ને કે ઇચ્છા પ્રત્યે કર્મનો ઉદય કારણ બન્યો ? તે કારણ કાંઈ ઉપાદાન નથી; તે તો નિમિત્તકારણ છે. તો પછી “નિમિત્ત એ કશું કરી શકતું નથી; એ કારણ બની શકતું નથી એવું કયા મોંઢે બોલી શકો છો ? “આ કર્મ આ કરે છે, આ કર્મ આ કરે છે', એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy