________________
૧૫૮
‘કર્મ વિપાકને લીધે જ્ઞાનીને ઉપભોગ', એ જ્ઞાનીના આત્માની ઉપ૨ પરદ્રવ્ય એવા કર્મના વિપાકની અસર જ સૂચવે છે ને ? પછી ભલે જ્ઞાની રાગ ન કરે તેથી પરિગ્રહભાવ ન થાય, નવો કર્મબંધ ન થાય પણ ‘ઉપભોગ’ ધર્મ તો જ્ઞાનીનો એટલે કે આત્માનો જ લેવો પડશે. તો જે ‘જ્ઞાનીને ઉપભોગ હોય છે' એવું પ્રતિપાદન કરી શકાય. અહીં પણ પૂર્વે કહ્યું તેમ વિપાક કર્મનો લીધો એ પણ પુદ્ગલકર્મનો સમજવાનો છે, પણ નહિ કે કોઇ આત્મિક આત્યંતર ધર્મનો. કેમ કે કેવળ આત્મિકધર્મને પાકવા-ન પાકવાનું શું છે ? એ તો પુદ્ગલના સ્કંધોની સ્થિતિ પાકીને ઊભી રહે એટલે એ અનુદિત (અનુદયવાળી) અવસ્થામાંથી ઉદિત એટલે ઉદયવાળી અવસ્થામાં આવે; અને આત્માને ફળ દેખાડે. માટે અહીં પણ પરદ્રવ્યની અસર, અપેક્ષા, નિમિત્તકારણતા, પરતંત્રતા સાબિત થાય છે.
(૨૭) સમયસાર ગાથા ૨૧૭મીમાં કહે છે કે બંધઉપભોગમાં નિમિત્તભૂત છે સંસાર-શરીરના અધ્યવસાન રાગસુખ.' આમાં પણ આત્મિકધર્મ જે અધ્યવસાન એટલે રાગ-સુખ લીધા, તેમાં વિષય તરીકે નિમિત્તભૂત સંસાર અને શરીર જ છે. એટલે ત્યાંય આત્મધર્મને પર એવા સંસાર-શરીરની અપેક્ષા આવી. સંસાર છે, તો જ એનો રાગ આત્માને છે. માટે આત્માના રાગપરિણામમાં સંસાર કારણ બન્યું જ.
(૨૮) ગાથા ૨૪૮મીમાં કહે છે કે ‘આયુષ્યના ક્ષયથી જીવોનું મરણ જિનેશ્વરોએ કહ્યું છે.' એટલે કે જીવનો મરણ-પરિણામ આયુષ્યકર્મના ક્ષય ઉપર નિર્ભય રહ્યો. આયુક્ષય એ પુદ્ગલધર્મ; એની અસર જીવ પર થઇને જીવનમાં મરણધર્મ ઉપજ્યો. આ પણ પરદ્રવ્યની પ્રબળ નિમિત્તકા૨ણતા પુરવાર કરે છે.
(૨૯) સમયસાર ગાથા ૨૧૨મીના વિવેચનમાં લખે છે કે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org