________________
(૧૫૬
આત્મગુણમાં સ્થિરતા થવાથી એનો ઉપયોગ નથી રહેતો, તેથી દુબલા પડી જઈ ક્ષય પામી જાય છે. આમાં એ જુઓ કે જો પ્રશસ્ત રાગાદિ હતા તો જ અપ્રશસ્ત રાગાદિ છૂટીને સમ્યક્ત્વાદિ ગુણોમાં સ્થિરતા થઈ. નહિતર તો અપ્રશસ્તનું જોર એટલું બધું હતું કે જીવને આત્મગુણ નહિ પણ આત્મદોષો અને પરભાવમાં ચોંટાડી સ્થિર રાખ્યો હતો. ત્યાં સમ્યક્ત્વાદિ ગુણની પ્રાપ્તિ જ નહિ, તો વળી સ્થિરતાની તો વાતે ય શી? શું આજે નવા પંથમાં સ્થિર બનેલાને આત્મામાં અંદરખાને નવો પંથ કાઢનાર ઉપર, એમના પ્રવચન ઉપર, સમયસારાદિ ગ્રંથો ઉપર ઓછો રાગ છે ? શું એ રાગ અજાણતા કરે છે? કે જાણીને કરે છે ? જૈનદર્શનની ચૌદ ગુણસ્થાનકની વસ્તુસ્થિતિ સમજનારા જાણે જ છે કે રાગભાવ અર્થાત્ રાગનો ઉદય ઠેઠ દશમા ગુણસ્થાનક સુધી હોય છે, દશમાને અંતે એ ટળે છે. પછી ત્યાં વીતરાગી દશા ક્યાંથી ચોથા સમ્યકત્વ ગુણઠાણે કે છઠ્ઠા સાતમા સર્વવિરતિ ગુણઠાણે આવી શકવાની હતી ? બાકી ત્યાં વીતરાગ બનવાનું લક્ષ રાખવાનું તો શ્વેતાંબરો માને જ છે; માટે તો વીતરાગ દેવને અને એમના જ શાસનને માને છે; પણ તે સંભવિત, શક્ય અને પ્રગતિ કરાવે એવી સાધના માને છે. નવો પંથ અશક્ય, અસંભવિત તથા પીછે હઠઅધોગતિ કરાવે એવો માર્ગ ઉપદેશે છે. આ અને આવા કારણે નવો પંથ એ જૈન મત નથી. આના અંગે વિશેષ આગળ નવો પંથ એ કેમ જૈન મત નથી એ પ્રકરણમાં જુઓ.
(૨૫) સમયસાર ગાથા ૨૦૩મીમાં કહે છે કે “કર્મના ક્ષયોપશમના નિમિત્તે શાનમાં ભેદ; છતાં તેનું સ્વરૂપ વિચારતાં જ્ઞાન તો એક જ છે.' - આમાં પણ જે કર્મનો ક્ષયોપશમ લીધો તે બાહ્ય કર્મપુદ્ગલનો લેવો પડશે, નહિ કે આત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org