________________
ગણ્યું. અર્થાત્ સાકર દ્રવ્યનો સંયોગ શાતા નામના કર્મપુદ્ગલને ઉદયભાવ પામવામાં નિમિત્ત થાય છે, આ ય કર્મ પર પરદ્રવ્યની અસર આવી; અને એ કર્મ આત્મામાં સુખપરિણામ જન્માવવામાં નિમિત્તભૂત બને છે; એ ય આત્મા પર પરદ્રવ્ય કર્મની અસર થઇ. આવું સ્વીકાર્યા પછી એમ કહેવું કે ‘એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઇ કરતું નથી, નિમિત્ત કાંઇ કરતું નથી' એ કેટલું સ્વશાસ્ત્ર અને સ્વસિદ્ધાંતની પણ વિરુદ્ધ છે. ‘અમુક સ્ત્રી મારી જનેતા છે, અર્થાત્ હું એનો પુત્ર છું' એમ સ્વીકાર્યા પછી કહેવું કે ‘એ સ્ત્રી વંધ્યા છે', એ પાગલતા જ કે બીજું કાંઈ? મોટા વ્યાખ્યાન કરવાની તો શું; પણ બોલવાનીય નાલાયકતા જ ને ?
(૨૪) સમયસારની ગાથા ૧૯૫મીમાં કહે છે કે અજ્ઞાનીને રાગદ્વેષના સદ્ભાવથી જે પુદ્ગલકર્મનો ઉદય બંધનું કારણ છે, તેને જ્ઞાની ભોગવતો છતો બંધાતો નથી.' આમાં એ તો નક્કી માન્યું કે રાગદ્વેષના સદ્ભાવે અજ્ઞાની જીવના આત્મદ્રવ્ય પર પૌદ્ગલકિ કર્મદ્રવ્યનો ઉદય બંધપરિણામ કરાવે છે. એ જીવની કર્મઉદય પર પરાધીનતા. તો ભલે અજ્ઞાની જીવ લીધો, પણ એ જીવદ્રવ્ય તો જડ કર્મદ્રવ્ય કરતાં જુદું જ દ્રવ્ય છે ને ? એવા જીવદ્રવ્ય પર બંધ પરિણામ ઉત્પન્ન થવામાં પર એવું ઉદય પ્રાપ્ત પુદ્ગલ કર્મદ્રવ્ય કારણ માન્યું. વળી જુનું કર્મદ્રવ્ય ઉદયમાં આવી નવું કર્મદ્રવ્ય જન્માવે છે ત્યાં પણ બંધાતી કર્મ વ્યક્તિ જુદી જુદી છે, છતાં એકની અસર બીજા પર ગણી, બીજા પર પહેલાને નિમિત્તકારણ સ્વીકાર્યું. અહીં જીવમાં શાતા-અશાતા કે રાગદ્વેષાદિ થવામાં કર્મદ્રવ્યને કારણ ગણ્યું એની સામે એ પ્રશ્ન થઇ શકે કે,
સમયસાર ગાથા ૧૯૬મીમાં તો સમ્યગ્દષ્ટિ જીવનો
પ્ર૦
૧૫૪
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org