________________
=૧૫૩ -
( ૧૫૩
પરિણમતું નથી; એ જ સૂચવે છે કે કર્મનો ઉદય અતિ આવશ્યક નિમિત્તકારણ છે.
(૨૨) આજ વાત સમયસારની ગાથા ૧૯૧મીમાં કરી છે. “આગ્નવભાવ ન હોય તો કર્મનો પણ નિરોધ, કર્મ નહિ તો... સંસાર નહિ.” શું કહ્યું ? આત્મામાં ભાવાસ્રવ રાગદ્વેષાદિ હોય ત્યાં સુધી આત્મા પર જડ કર્મનો બંધ અને મનુષ્યપણું વગેરે સંસારી અવસ્થા છે. આત્માની અપેક્ષાએ કર્મ એ પરદ્રવ્ય છે, મનુષ્યપણું એટલે મનુષ્યશરીરાદિ, એ પણ પરદ્રવ્ય છે. એ બંનેમાં આત્માના ભાવાગ્નવ પરિણામને કારણ ગણ્યો; તેથી જ કર્મ એ પરદ્રવ્ય-આત્માને આધીન બન્યાં. વળી એવા ભાવાગ્નવ પરિણામના અભાવે કર્મ અને સંસારનો પણ અભાવ ગણ્યો - આ બધામાં નિમિત્તની પ્રબળ અસર સ્વીકારી. એવી નિમિત્તકારણતાને બીજી બાજુ નવા પંથવાળા ઉડાવે એ કેટલું બધું એમના જ શાસ્ત્રથી વિરુદ્ધ છે !
(૨૩) સમયસારની ગાથા ૧૯૪મીમાં કહે છે કે, પરદ્રવ્ય ભોગવતાં કર્મોદય નિમિત્તે જીવને શાતા-અશાતા સુખદુ:ખ નિયમથી ઉત્પન્ન થાય છે. આમાં પણ આત્માને ચોક્ખો પરદ્રવ્યનો ભોગ માન્યો. એમાં જેવું જેવું પરદ્રવ્ય ભોગમાં આવશે તેવી તેવી શાતા-અશાતા આત્માના અનુભવમાં આવશે; એ પરદ્રવ્યની પરાધીનતા થઈ. તો સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? દા.ત. મીઠી સાકર ખાતાં કે કોમળ શય્યા પર સૂતાં શાતા અનુભવાશે, કડવો એળીયો કે અણીયાળા ભંઠીયાવાળી બરછટ જમીન ઉપભોગમાં આવતાં અશાતા અનુભવાશે. શાતાઅશાતાનો પરિણામ આત્મામાં થાય છે. એવા આત્મપરિણામની પ્રત્યે પરદ્રવ્યો સાકર-એળીયો વગેરેની કેવી અસર માની ! કેવી કારણતા માની ! પાછું ત્યાં આંતરિક કારણ કર્મનો ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org