________________
( ૧૫૧
રીતે કહેવાય ?
ઉ0 - તો, એનો અર્થ તો એજ ને કે જે જે નૈમિત્તિક જયાં જયાં ઉત્પન્ન થાય ત્યાં ત્યાં બધે જે હાજર અને આવશ્યક હોય, તેને નિમિત્ત કહેવાય ? એકલી હાજરીથી નિમિત્તતા નહિ, પણ આવશ્યકતા સાથે જોઈએ. એમ જે કહો છો ત્યાં “એકના હોવામાં જ બીજું જન્મે, ન હોય તો ન જ જન્મે એવું થયું; એનું જ નામ કારણતા છે. માટે જ “નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહો કે “કાર્ય-કારણ” સંબંધ કહો, એક જ વસ્તુ ઠરે છે. હા, ક્યાંક “પ્રયોજય-પ્રયોજક' ભાવમાં પણ નિમિત્ત-નૈમિત્તિકતા કહી શકાય છે. દા.ત. કહીએ કે “બિલાડીના આગમનથી ઉંદર દેખાતા નથી' - આમાં, ઉંદરના અદર્શનમાં બિલાડીનું આગમન પ્રયોજક છે, એવું જ એ નિમિત્ત છે, એમ પણ કહી શકાય. પરંતુ “નિમિત્ત, પ્રયોજક કે કારણ કશું જ કરતું નથી' – એ કહેવું ખોટું છે. એ વસ્તુ સ્પષ્ટ છે કે બિલાડીના આગમને જ ઉંદરોને અદશ્ય કર્યા. એટલે, તમારે કારણના લક્ષણ બધાં જ લેવા છે અને “કારણ' શબ્દ નિષેધવો છે, એ તો શબ્દવૈર છે.
(૨૦) દ્રવ્યઆગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે એમાં જોડાય (તેને જે પ્રકારે ભાવાગ્નવ થાય તે પ્રકારે દ્રવ્યાન્નવો નવીન કર્મબંધના કારણે થાય.' સમયસારના આ કથનમાં પણ નિમિત્તની કેટલી સ્પષ્ટ અસર સૂચવી છે ! પહેલાં કહ્યું કે, દ્રવ્યામ્રવનો ઉદય થતાં જીવ જોડાય અગર ન જોડાય', એનો અર્થ એ કે “ઉદય ન થતાં તો ન જ જોડાય” માટે જીવને ભાવાન્સવમાં જોડાવામાં કારણ બન્યો દ્રવ્યામ્રવનો ઉદય. ક્યાં જીવદ્રવ્ય અને ક્યાં દ્રવ્યાન્સવનું ઉપાદાનભૂત કર્મ – પુદ્ગલદ્રવ્ય બે ય સ્વતંત્ર છતાં એકના આધારે બીજાને ચાલતો માન્યો. ખેર !.. પછી કહ્યું કે “જીવ જે પ્રકારે જોડાય તે પ્રકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org