________________
( ૧૫૦
નૈમિત્તકભાવ એટલે દ્રવ્યઆસ્રવ એ નિમિત્ત અને ભાવાગ્નવ એ નૈમિત્તિક=કાર્ય એવો બે વચ્ચે ભાવ શાથી એ મોટો પ્રશ્ન છે. બેને શો એવો મેળ છે કે આ ભાવ ઊભો થયો ? જો અસર જ નથી, કાર્ય-કારણપણાનો સંબંધ જ નથી તો નિમિ૦ નૈમિ0 ભાવ શાનો ? જો કહો કે,
પ્રવ – મેળ હાજરીનો છે ને ? નૈમિત્તિક છે ત્યાં નિમિત્ત હાજર છે.
ઉ૦ - એમ તો જેમ નૈમિત્તિક છે, તેમ એજ વખતે જગતમાં બીજા કાર્યો પણ છે તો એ નિમિત્ત હાજર હોવાથી શું એ બધાની પ્રત્યે નિમિત્ત કહેવાશે ? દા.ત. ઘડો બન્યો ત્યાં ચાકડો હાજર છે. તો ચાકને નિમિત્ત અને ઘડાને નૈમિત્તિક કહી બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનો છો. હવે ત્યાં જ માનો કે વરસાદ પડ્યો, અથવા પ્રકાશ પથરાય છે, કે વાયુ ચાલે છે, તો શું ત્યાં હાજર એવો પેલો ચાકડો એ વૃષ્ટિમાં, પ્રકાશમાં કે વાયુગતિમાં નિમિત્ત કહેવાશે ? ત્યારે જો કહો,
પ્ર0 - વરસાદ વગેરે તો બીજે પણ બનતા હોય છે ત્યાં ક્યાં બધે ચાકડો હાજર છે ? તેથી એ શાનો એમની પ્રત્યે નિમિત્ત કહેવાય ?
ઉ0 - તો એ તો કારણનું સ્વરૂપ કહી રહ્યા છો. ખેર! પણ જેમ ઘડો બનવામાં ચાક હાજર જ હોય છે તેમ એ ઉત્પન્ન થતા ઘડાનો આકાશ સાથે સંયોગ થવામાં એ બધે મોજુદ છે, તો શું ઘટાકાશસંયોગની પ્રત્યે પણ ચાકને નિમિત્ત ગણશો ?
પ્રહ - ચાકને શાનું નિમિત્ત ગણાય ? કેમ કે એ હાજર ભલે હોય; પણ ઉત્પન્ન થતા ઘડાનો અને આકાશનો સંયોગ થવામાં ચાક કાંઈ આવશ્યક નથી ગણાતો; તેથી નિમિત્ત શી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org