SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૫૦ નૈમિત્તકભાવ એટલે દ્રવ્યઆસ્રવ એ નિમિત્ત અને ભાવાગ્નવ એ નૈમિત્તિક=કાર્ય એવો બે વચ્ચે ભાવ શાથી એ મોટો પ્રશ્ન છે. બેને શો એવો મેળ છે કે આ ભાવ ઊભો થયો ? જો અસર જ નથી, કાર્ય-કારણપણાનો સંબંધ જ નથી તો નિમિ૦ નૈમિ0 ભાવ શાનો ? જો કહો કે, પ્રવ – મેળ હાજરીનો છે ને ? નૈમિત્તિક છે ત્યાં નિમિત્ત હાજર છે. ઉ૦ - એમ તો જેમ નૈમિત્તિક છે, તેમ એજ વખતે જગતમાં બીજા કાર્યો પણ છે તો એ નિમિત્ત હાજર હોવાથી શું એ બધાની પ્રત્યે નિમિત્ત કહેવાશે ? દા.ત. ઘડો બન્યો ત્યાં ચાકડો હાજર છે. તો ચાકને નિમિત્ત અને ઘડાને નૈમિત્તિક કહી બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ માનો છો. હવે ત્યાં જ માનો કે વરસાદ પડ્યો, અથવા પ્રકાશ પથરાય છે, કે વાયુ ચાલે છે, તો શું ત્યાં હાજર એવો પેલો ચાકડો એ વૃષ્ટિમાં, પ્રકાશમાં કે વાયુગતિમાં નિમિત્ત કહેવાશે ? ત્યારે જો કહો, પ્ર0 - વરસાદ વગેરે તો બીજે પણ બનતા હોય છે ત્યાં ક્યાં બધે ચાકડો હાજર છે ? તેથી એ શાનો એમની પ્રત્યે નિમિત્ત કહેવાય ? ઉ0 - તો એ તો કારણનું સ્વરૂપ કહી રહ્યા છો. ખેર! પણ જેમ ઘડો બનવામાં ચાક હાજર જ હોય છે તેમ એ ઉત્પન્ન થતા ઘડાનો આકાશ સાથે સંયોગ થવામાં એ બધે મોજુદ છે, તો શું ઘટાકાશસંયોગની પ્રત્યે પણ ચાકને નિમિત્ત ગણશો ? પ્રહ - ચાકને શાનું નિમિત્ત ગણાય ? કેમ કે એ હાજર ભલે હોય; પણ ઉત્પન્ન થતા ઘડાનો અને આકાશનો સંયોગ થવામાં ચાક કાંઈ આવશ્યક નથી ગણાતો; તેથી નિમિત્ત શી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy