________________
૧૪૯
પોતાના જ બાહ્યવ્યવહાર-ઉત્થાપક સિદ્ધાંત ઉપર કુઠારા ઘાત કર્યો ! પ્રશ્ન તો એ છે કે શુભ કર્મોને છોડવાની વાત તો પછી, પણ એ તો કહો કે શુભ કર્મો આવ્યા શી રીતે ? શુભકર્મને ઊભા શી રીતે કર્યા ? એને કેવા માનીને આદર્યા? જરૂરી કે બિનજરૂરી ! મોક્ષહેતુ કે સંસારહેતુ ? શુભકર્મ ઊભા કર્યા તે સારું કર્યું કે ખોટું ? શુભકર્મોને છોડી દેતા નથી એનો અર્થ તો એ થયો કે એ ઉપયોગી બને છે. એક બાજુ આટલી બધી સ્પષ્ટ વ્યવહારની અને પરનિમિત્તની આવશ્યકતા સૂચવવી, ને બીજી બાજુ પુણ્યક્રિયાઓને નિંદવી, મૂકી દેવી, મૂકાવી દેવી - એ કેટલું પરસ્પર બેહૂદું છે ? એની નિંદા અને ત્યાગ કરતાં એમનું મોટું અને કાયા કેમ ન લાજે ? જો ઉપાદાન આત્મા સિવાય જડકાયાની શુભ ક્રિયા કાર્યમાં નિમિત્તજ નથી અને તે અણસમજમાં પકડાઈ ગઈ હતી, તો એ છોડી કેમ ન દેવી ? છોડી દેનારને શું નુકશાન ? ત્યારે જો નુકશાન હોય તો ત્યાં પણ જડકાયાથી શુભક્રિયાનો ત્યાગ એ ચેતન આત્મા ઉપર નુકશાનની અસર કરનારો બન્યો ! પરનિમિત્તની અસર કેમ નહિ ?
(૧૯-ર૧) સમયસાર ગાથા ૧૭૩-૭૬ ટીકા-વિવેચનમાં લખે છે કે (૧૯) “દ્રવ્ય આગ્નવોના ઉદયને અને જીવને નિમિત્તનૈમિત્તિકભાવ છે...' (૨૦) ‘દ્રવ્યાગ્નવોનો ઉદય થતાં જીવ જે પ્રકારે એમાં જોડાય (તેને જે પ્રકારે ભાવાગ્નવ થાય) તે પ્રકારે દ્રવ્યાગ્નવો નવીન બંધના કારણે થાય. ભાવાગ્નવ ન કરે તો બંધ થતો નથી.' (૨૧) “જયાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા
છે.'
અહીં, (૧૯) દ્રવ્યઆસ્રવ અને જીવનો નિમિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org