________________
૧૪૮
મતે માત્ર કર્મબંધ કરનારા ! અને સંસારમાં રખડનારા ! વળી નિર્વિકલ્પ બનવાની ભાવના પણ એક જાતનો વિકલ્પ છે, તેથી એ પણ બંધનકર્તા. આમ વિકલ્પો તો રહેવાના, તેથી જીવ ઉંચો જ નહિ આવવાનો. આવું એમના મતે ઠરવાથી જીવને મોક્ષની જ અસંભવિતતા થશે ! એકલા “શુદ્ધ નિશ્ચય-શુદ્ધ નિશ્ચય'નું ગદ્ધાપૂછ પકડી રાખવાથી, જુઓ, એમની કેવી દુર્દશા નીપજે છે !
(૧૯) વળી, એની જ આગળ સમયસાર વિવેચનમાં કહે છે કે “શુભ પરિણામો (શુદ્ધ સ્વરૂપના વિચારોને હેયરૂપ ગણી તેમાં પ્રવર્તે છે, પણ નિરર્થક ગણી છોડી દેતા નથી. કેમ કે સ્વરૂપ આલંબનમાં હજી સ્થિરતા નથી રહેતી. શુભકર્મોને છોડી અશુભમાં પ્રવર્તતા નથી.' અહીં શુભ પરિણામને હેય ગણ્યા, છતાં નિરર્થક ન ગણ્યા. એમ આખો બાહ્ય શુભ વ્યવહાર ભલે અંતે હેય છતાં, તે પૂર્વે જરાય નિરર્થક નથી એમ માનવામાં એમને ક્યાં વાંધો આવે છે ? અને જો સાર્થક છે તો એની નિંદા કેમ કરી શકાય ? એની એકલી ત્યાજ્યતા કેમ ઉપદેશી શકાય ? બીજું શુભ પરિણામમાં પણ મનોદ્રવ્યની રચના છે, એનું આલંબન આત્માને સાર્થક ગયું. આ કેવી પદ્રવ્યની ને નિમિત્તની સચોટ આવશ્યકતા અને અસર સૂચવી? બીજું જે એ કહે છે કે શુભઆલંબનમાં સ્થિરતા નથી રહેતી, એ સ્થિરતા એટલે શું ? નિર્વિકલ્પ અવસ્થા જ ને ? તો તે લાવવા માટે વિકલ્પની જરૂર ખરી ને ? અર્થાત્ પરના ટેકાની જરૂર ખરી ને ? તો પછી એમાં આત્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? નિયત ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહ્યા ? આ તો “આમ કરે તો આમ થાય' એ આવ્યું. બીજું જે કહ્યું કે “શુભ કર્મોને છોડી અશુભમાં પ્રવર્તતા નથી.” આ કહેવામાં તો હદ વાળી દીધી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org