________________
૧૪૭
-
(૧૮) વળી આગળ સમયસાર વિવેચનમાં કહે છે કે “સમ્યગ્દષ્ટિ જીવને બે ધારા છે, કર્મધારા અને જ્ઞાનધારા. બે ય પોતપોતાનું કાર્ય કરે છે. શુભાશુભ કર્મધારા જેટલા અંશે, તેટલા અંશે કર્મબંધ. શુદ્ધ સ્વરૂપનો વિચાર (વિકલ્પ) સુદ્ધાં કર્મબંધનું કારણ છે. શુભ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.” આમાં પણ “કર્મધારા” “કર્મબંધ' એ શબ્દો આત્માથી જુદા કર્મદ્રવ્યને સૂચવી રહ્યા છે, કે જે પરદ્રવ્યની ઉપર આત્માના રાગની અને વિકલ્પની અસર પડે છે, એમ અહીં કહ્યું. જુદાં કર્મદ્રવ્ય ન લેવાં હોત તો “દોષધારા “દોષોત્પત્તિ' એવા પ્રયોગ કરી શકત. વળી શુભાશુભ કર્મધારામાં તો વેદનીયકર્મ આવે છે, આયુષ્યકર્મ, શરીરકર્મ, શુભાશુભ નામકર્મ વગેરે આવે છે, શું એને આત્માના દોષ કહેશે ? આત્માના એ કર્મજન્ય ઔદયિકભાવ અને બંધન જરૂર છે; બાકી દોષ તરીકે તો અજ્ઞાન, મોહ, અવિરતિ વગેરે ગણાય છે. એટલે, કર્મધારાનો અર્થ અનાદિથી આત્મામાં ચાલી આવતી કર્મદ્રવ્યના ગાઢ સંબંધની ધારા, એવો સમજવો જોઇશે. એમાં જીવ બદ્ધ કર્મદ્રવ્યને પરાધીન રહેવાનો જ. વળી કહ્યું કે “શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં કર્મબંધનું કારણ છે' એ પણ વિચારવાન આત્મા અને કર્મદ્રવ્ય - બેનો મેળ સૂચવે છે; એક કારણ અને બીજું કાર્ય. બાકી જે શુદ્ધ પરિણતિને મોક્ષનું કારણ કહે છે એ શુદ્ધ પરિણતિનું કારણ એમને પૂછો; તેમ એ ક્યાં એટલે કે કયા ગુણસ્થાનકે આવે તે પૂછો. કેમ કે શુદ્ધ પરિણતિમાં તો એ શુભ વિચારને, શુભ વિકલ્પને જરાય સ્થાન નહિ આપે. અર્થાત્
ત્યાં મનનો ઉપયોગ જ નહિ, માનસિક કોઇ ચિંતન નહિ એમ કહેશે. તો કહો, આ દશા ક્યાં આવે ? આ તો નિર્વિકલ્પ દશા થઈ. એ કાંઈ ચોથે-પાંચમે-છઠે ગુણઠાણે હોય નહિ. તેથી શું સમ્યગ્દષ્ટિ, શું શ્રાવક, કે શું સાધુ - બધા જ એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org