SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ શી અસર થઈ શકે ? ત્યારે હવે તમારે એટલું કહેવું પડે કે – પ્રવ – નવાં દ્રવ્યનાં ક્રમબદ્ધ પર્યાય એવા જ નક્કી થઈ ગયેલા છે, કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને એના પર્યાયોની હારમાળામાં પણ સ્વતંત્રપણે ક્રમસર પર્યાયો થવાનું નક્કી થઈ ગયું છે. એમાં કોઈ કાંઈ જ ફેરફાર કરી શકતું નથી. પછી તેવા પ્રકૃતિ-સ્થિતિ-રસાદિ કર્મ-પર્યાય બનવામાં શો વાંધો આવે? ઉ0 - આમ કહો એનો અર્થ તો તમારો સિદ્ધાંત ચોખો ગોશાળાનો ભવિતવ્યતાવાદ જ થયો કે બીજું કાંઈ ? એમાં મોટો દોષ એક એ છે કે પછી તમે એવું નહિ કહી શકો કે “જીવ અજ્ઞાનથી ભટકે છે, દ્રવ્યદૃષ્ટિ કેળવે તો તરી શકે.” આવું ન બોલી શકાય. કેમ કે એ તો એમ જ કહેવું પડે કે જીવની ભવિતવ્યતા જ એવી છે કે આજસુધી ભટકતો આવ્યો છે, ને અમુક વખતે એ તરશે. એટલે પછી ત્યાં કોઈ પુરુષાર્થને સ્થાન નહિ રહી શકે. એવી રીતે નીતરતા ભવિતવ્યતાવાદમાં કહો કે એકલા ક્રમબદ્ધ પર્યાયમાં અર્થાત્ એકાંત સ્વાતંત્ર્યવાદમાં ‘હિંસાથી કર્મ બંધાય જૂઠથી કર્મ બંધાય...' એવું નહિ બની શકે. એ તો કર્મને બનવાનો એવો પર્યાય તે તે કાર્પણ પુદ્ગલના ક્રમબદ્ધ પર્યાયની હારમાળામાં નક્કી હતો તે પ્રમાણે જ બને છે. એમાં નથી તો જીવનો હિંસા પરિણામ કારણ, કે નથી તો ઉદિત જૂનાં કર્મ પુદ્ગલનો પર્યાય હેતુભૂત. એ તો નવા કામણ પુદ્ગલની નિયત ક્રમબદ્ધ પર્યાય ઘટના છે, કે તેવા પ્રકારનું કર્મ બની ગયું. આવો તમારો સિદ્ધાંત ફલિત થાય છે. ત્યાં સ્વભાવ, કાળ, કર્મ અને પુરુષાર્થ એ ચાર કારણો ઉડી જાય છે. એ જૈન મત ન હોય. ત્યારે જુઓ કે ખરેખર. (૧૩) સમયસાર ગાથા ૧૨૭મીમાં કહે છે કે “રાગાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy