________________
( ૧૪૧
સંક્રમણ કે પૂર્વબદ્ધ અશાતા પુદ્ગલોનું બંધાતી શાતા પ્રકૃતિમાં સંક્રમણ થાય છે, એવી રીતે આત્માના ભાવકર્મમાં શું ? આત્માના શાતા-અશાતા પરિણામમાં કેમ ઘટે ? પુદ્ગલમાં તો દળીયા છે, લોચા છે, તે શેરડીનો રસ લીંબડાના રસમાં કે લીંબડાનો રસ શેરડીના રસમાં પડી એકરૂપ થાય છે એમ પુદ્ગલકર્મમાં તો સંક્રમણ (મીલાવટ અને પરાવર્તન) થઈ શકે, પરંતુ આત્માના અમૂર્ત પરિણામનો એક બીજાના વિપરીત પરિણામમાં શું મીલાવટ અને શું પરાવર્તન ? એમાં તો બહુ થાય તો એક બળવાન પરિણામ બીજા નિર્બળ પરિણામનો નાશ કરી શકે. દા.ત. શાતાનો પરિણામ અશાતાના પરિણામનો નાશ કરી શકે; કિંતુ શાતા તો શાતા રહે જ. પરંતુ અશાતાનુંય શાતામાં પરાવર્તન અને વિદ્યમાન શાતામાં મિલાવટ શી રીતે થઈ શકે ?
(૪) ચોથો મુદ્દો એ છે કે આત્મામાં રાગદ્વેષ શાતાઅશાતા વગેરેના પરિણામો તો પડેલા છે, તો એક સાથે એ બધા ઉદયમાં કેમ નહિ ? પ્રગટ કેમ નહિ ? શાતાના અનુભવ વખતે અશાતા કેમ નહિ, અને ઘોર અશાતાના અનુભવ કાળે જ શાતાનો અનુભવ કેમ નહિ ? પૌલિક કર્મની અસર માનનારા અમારે ત્યાં બધું સમાધાન છે. કેમ કે એ પુદ્ગલ તો એવી ચીજ છે કે કોઈનો કાળપરિપાક થયો હોય, કોઈનો નહિ; કોઈનો વિપાકોદય ચાલે તો કોઇનો પ્રદેશોદય ચાલે; કોઇનો ક્ષયોપશમ હોય, તો કોઇનો ઉપશમ હોય, તો કોઇનો ક્ષય હોય. પુદ્ગલમાં આ પરિણામો સંભવે છે, તદનુસાર જીવમાં પરિણામ જન્મે છે. કેમ કે જીવ ઉપર નિમિત્તભૂત એ કર્મપુદ્ગલની અસર થાય છે. પણ એવા કર્મયુગલરૂપી નિમિત્તની અપેક્ષા વિના તો એકલા જીવમાં એ જુદા જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org