________________
૧૪૦
અસર ન માનનાર એવા તમારી પાસે એનો ખુલાસો નથી.
(૨) બીજું એ છે કે આત્મામાં ઘડીભર માની લઇએ કે અન્યની અપેક્ષા વિના સ્વતંત્રપણે જ ઉત્પન્ન થનારા અજ્ઞાન, મિથ્યાત્વ વગેરે દૂષણો છે; અને એમાં કારણભૂત પૂર્વ પૂર્વના દૂષિત સંસ્કારોની અસર છે; પરંતુ આત્મામાં ઘડીઘડીમાં શાતાઅશાતા થાય છે, એની પાછળ કોની અસર છે ? (૧) જો કહો કે મોહ-અજ્ઞાનની, તો કેવળજ્ઞાનીને માટે અજ્ઞાન નહિ હોવાથી શાતા-અશાતા પણ ન હોવી જોઈએ. ત્યારે (૨) જો કહો કે પૂર્વની શાતા-અશાતાની અસર છે તો તો એમને બંને હોવી જોઇએ, પણ તમે તો કેવળજ્ઞાનીને એકલી શાતા માનો છો, તેનું શું ? વળી એકલી પણ શાતા હવે શાશ્વત કાળ સાથે રહેવી જોઇએ. કેમ કે જેમ મોહનીયના કુસંસ્કારમાં તો પ્રતિપક્ષ તરીકે વૈરાગ્ય અને નિર્મોહતાની ભાવના હતી તેથી તેના બળ ઉપર મોહના કુસંસ્કારો દૂર કરી શકાય. પરંતુ શાતાની સામે પ્રતિપક્ષ તરીકે એવું શું છે કે જે શાતાના સંસ્કાર તોડી શકે? અમે તો શાતા કર્મયુગલની અસર માનીએ છીએ, તેથી એ કર્મ તૂટવાથી એની અસર તૂટે, તો પછી આત્માને શાતાઅશાતા ન રહે; એવું અમે કહી શકીશું. તમારી પાસે શો ખુલાસો છે ? તમારે તો કર્મપુદ્ગલ સાથે આત્માને લેવાદેવા
નથી.
(૩) ત્રીજી વાત એ છે કે કેરી વગેરે ફળની જેમ સ્થિતિનો (સમય મર્યાદાનો) પરિપાક કર્મપુદ્ગલમાં ઘટી શકે છે; પરંતુ આત્માના દોષમાં શી રીતે એ સંગત થાય ? એમાં દોષ અત્યારે અપક્વ છે, અને પછી પક્વ બનશે એ શું ? વળી એમાં કાળ સ્થિતિનો હ્રાસ-વૃદ્ધિ એ શું ? ત્યારે કર્મમાં જેમ કેટલાક સત્તાગત શાતા પુગલોનું બંધાતી અશાતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org