________________
( ૧૩૭
નથી, શરીર દેખાય છે. તેની શાંતરૂપ મુદ્રાને દેખી પોતાને પણ શાંતભાવ થાય છે. આવો ઉપકાર જાણી આચાર્ય શરીરના આશ્રયે પણ સ્તુતિ કરે છે. તથા શાંતમુદ્રા દેખી અંતરંગમાં વીતરાગભાવનો નિશ્ચય થાય છે એ પણ ઉપકાર છે. આમાં પણ પરદ્રવ્ય અને નિમિત્તની કેટલી બધી અસર સૂચવી ! અને કેટલી બધી આવશ્યકતા બતાવી ! જો માત્ર શાંતમુદ્રા દેખીને પણ પોતાને શાંતભાવ થાય. તો એના ઉપરાંત શાંતભાવને લાવનારી ત્યાગ, તપસ્યા, સામાયિક, પ્રતિક્રમણાદિ સાધનાઓ કે જે સીધી આત્માને અડે છે એ આત્માને શાંત નહિ કરી શકે એમ માનવું બોલવું એ કેટલી ધિક્કાઈ કે મૂર્ખાઈ ગણાય ? નહિતર અંતરંગ શાંતભાવ થવામાં તો ઉપાદાન કારણ આત્મા છે, અને જરૂરી અંતરની શુભભાવના તેમજ કષાયોપશમનો પુરુષાર્થ છે; પણ બાહ્ય અન્ય દ્રવ્યની શાંતમુદ્રાનો શો ઉપકાર? બાહ્ય દર્શનક્રિયાનો શો ઉપકાર ? ત્યાં સુધી કહ્યું કે, પ્રભુમાં વીતરાગતાનું અનુમાન દેહની શાંતમુદ્રાના આધારે થાય છે. ક્યાં એમનો શુદ્ધ આત્મા અને ક્યાં શરીર પુદ્ગલની શાંતમુદ્રા! છતાં સૂચવ્યું કે આત્માની વીતરાગતાથી જડશરીરમાં શાંતમુદ્રા આવી છે. નિમિત્તની બલવત્તા આમાંથી સ્પષ્ટ સૂચિત થાય છે. તો જ અનુમાન થઇ શકે ને કે શરીર પર શાંતમુદ્રા છે તો આત્મામાં વીતરાગભાવ હોવો જોઇએ. ધ્યાન રાખજો આત્માની સ્વતંત્ર પર્યાય પરંપરા અને પુગલની સ્વતંત્ર પર્યાય પરંપરા માનનારાના હાથે આ લખાય છે કે આત્માની વીતરાગદશાના લીધે દેહમાં શાંતમુદ્રા હોઈ એના દર્શનથી વીતરાગતાનો નિશ્ચય થાય છે !
(૧૧) સમયસાર ગાથા ૮૮માં કહે છે કે, “પુદ્ગલના વિકાર મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન છે, જીવના પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org