________________
૧૩૬
પ્ર૦ – તો ત્રીજી વિભક્તિને સાતમીના અર્થમાં માની લઈએ તો ?
ઉ0 - તે પણ નહિ માની શકાય. કેમ કે તો પણ નિમિત્ત' શબ્દ નકામો ઠરત. માત્ર હાજરી જ કહેવી હોત તો તે “મuvivorf=', “મuTuસંનિધાને” એવું કાંઈક કહેત. પણ અહીં તો ખાસ નિમિત્ત શબ્દ મૂક્યો છે, તે ઉપાદાનથી અને બીજા અનિમિત્ત પદાર્થોથી (અકારણભૂત પદાર્થોથી) આ નિમિત્તભૂત-કારણભૂત “અન્યોન્યને જુદા પાડવા માટે મૂકયો છે. આ “અન્યોન્યને ખાસ નિમિત્તકારણ તરીકે કહેવા માટે જ નિમિત્ત શબ્દ અને ત્રીજી વિભક્તિ છે. આટલું પણ જેને વ્યાકરણનું જ્ઞાન ન હોય એ છબરડા વાળે કે બીજું કાંઈ કરે ?
સમયસારની ગાથા ૮૦-૮૧નો બરાબર અભ્યાસ કરતાં એ નિશ્ચિત ભાવ નીકળે છે કે, “(૧) એક દ્રવ્ય ભલે સ્વપર્યાયોનું બીજા દ્રવ્યમાં સંક્રમણ ન કરે છતાં બીજા ઉપર અસર કરી શકે છે, કરે જ છે. એવી રીતે, (૨) ઉપાદાનકારણ ઉપરાંત નિમિત્તની માત્ર હાજરી નહિ કિન્તુ અસાધારણ કારણતા છે, અતિ આવશ્યકતા છે. નિમિત્ત એ ઉપાદાનને અવશય તે તે પરિણામો, તે તે પર્યાયો તરફ દોરે છે. માટે જ એના વિના એકલું ઉપાદાન એમ જ રહ્યું હોત. એ તો તેવા તેવા નિમિત્તોના પ્રભાવે તે તે પરિણામો પામ્યું.” ત્યારે સમજો કે જીવ માટે જેમ કર્મ એ તદ્દન બાહ્ય નિમિત્ત છે તેમ શુભ ક્રિયાઓ પણ બાહ્ય નિમિત્ત છે. છતાં કર્મની જેમ કાર્ય કરનારી છે. એવી રીતે જેમ કર્મ એ પરદ્રવ્ય છે, તેમ બીજા સદ્ આલંબનોરૂપી પદાર્થો પણ પરદ્રવ્ય છે, અને એ અસર કરી શકે છે.
(૧૦) સમયસાર ગાથા ૨૮મીમાં પરમાત્માની સ્તુતિનું સમર્થન કરતાં વિવેચ્યું કે, “છબસ્થને પરનો આત્મા દેખાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org