________________
૧૩૩
(૬) સમયસાર ગાથા ૪૬ના વિવેચનમાં લખ્યું છે કે ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે વ્યવહારનય (નિમિત્તની પ્રબળતા) દર્શાવવાનું ન્યાયસંગત જ છે. નહિતર તો (૧) પરમાર્થથી જીવ શરીરથી ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ ત્રસ-સ્થાવર જીવોને નિ:શંકપણે મર્દન કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે. તેથી બંધનો જ અભાવ ઠરશે. વળી(૨) પરમાર્થથી રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી રાગી-દ્વેષી-મોહી જીવ કર્મથી બંધાય છે, તેને છોડાવવો' એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે. તેથી મોક્ષનો જ અભાવ થશે.' અર્થાત્ બાહ્ય કાયાથી કરેલી જીવમર્દનાત્મક હિંસારૂપ નિમિત્તથી આંતર આત્મદ્રવ્ય પર અસર એટલે કે બંધપર્યાય થાય છે, એમ રાગદ્વેષ મોહના નિમિત્તે પણ આત્મા ઉપર અસર છે. તો કહો આમાં ૫રદ્રવ્યની ક્રિયાની અને નિમિત્તની પ્રબળતા ક્યાં ઓછી સ્વીકારી? પછી પુણ્ય કાંઇ કરી શકતું નથી, પુણ્ય ક્રિયાઓ નકામી છે, વગેરે કહેવું એ કેટલી મૂઢતા કહેવાય !
(૭) સમયસાર ગાથા ૭૦મીમાં કહે છે કે, ‘ìહાસુ वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदी । जीवस्सेवं बंधो ॥' અર્થાત્ ક્રોધાિણંદ અશુભ ભાવમાં વર્તતા જીવને કર્મનો બંધ થાય છે.' અહીં પણ શું માન્યું ? એજ કે ક્રોધાદિ કષાયો જે કષાય મોહનીય નામના કર્મપુદ્ગલનો પર્યાય છે, એનું નિમિત્ત પામીને આત્મા પર કષાયભાવ થઇને બંધ નામનો પર્યાય થાય છે. આમાં એક દ્રવ્યે બીજા દ્રવ્ય પર અસર કરવાનું આવ્યું છે કે નહિ ? જીવબંધનું ઉપાદાન તો આત્મા છે, છતાં એ સિવાય નિમિત્તની પણ જરૂર પડીને ? તો શ્વેતાંબર શાસ્ત્ર ફરમાવેલ શુભ નિમિત્તોનું આલંબન એવા ક્રોધાદિ અને કર્મબંધથી બચાવી શકે એમાં શું ખોટું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org