________________
(૧૩૨
વ્યવહારાદિ અશુદ્ધનયના કથનનું કોઈને કોઈ પ્રયોજન જરૂર છે, એટલે કે અમુક અમુક ફળ છે જ, કાર્ય છે જ. તો પછી એ કાર્યમાં નયનું કથન નિમિત્ત બન્યું જ. વિવેચનમાં વળી આના દાખલા માટે શુદ્ધનયમાં સોળ સોળ વાલ શુદ્ધ સોનું લીધું. ત્યારે અશુદ્ધનયમાં એકથી માંડી પંદર વાલ સુધી શુદ્ધ સોનું લઈ એની સાથે અગ્નિપાકનું નિમિત્ત ગોઠવી બતાવ્યું, અર્થાત્ જયાં સુધી સોનું સંપૂર્ણ શુદ્ધ નથી થયું ત્યાં સુધી અગ્નિપાકની જરૂર છે. માટે જ વિવેચનમાં કહે છે કે “એવી રીતે જે જીવોને સોળ સોળ વલા શુદ્ધ જ્ઞાન શ્રદ્ધાન પ્રાપ્ત નથી થયા એમને જિનવચનોનું સાંભળવું જિન-ગુરુની ભક્તિ કરવી, જિનબિંબ દર્શન ઈત્યાદિ વ્યવહારમાર્ગ પ્રવૃત્ત થવું પ્રયોજનવાન (સફળ) છે.” હવે કહો આમાં નિમિત્તની અસર ક્યાં ન માની? નહિતર શુદ્ધિ તો આત્મગુણ છે, આત્મપર્યાય છે; એમાં બાહ્યકાયિક વ્યવહારનું નિમિત્ત શું અસર કરી શકશે ? પણ ત્યાં સુધી સમયસારના વિવેચનમાં લખ્યું કે, જો કોઈ વ્યવહારનયને અસત્યાર્થ જાણી છોડી દે તો શુભ ઉપયોગરૂપ વ્યવહારને છોડે અને શુદ્ધ ઉપયોગની સાક્ષાત્ પ્રાપ્તિ તો થઈ નથી; તેથી ઉલટો અશુભ ઉપયોગમાં આવી ભ્રષ્ટ થઈ ગમે તેમ સ્વેચ્છારૂપે પ્રવર્તે; તેથી તો નરક-નિગોદને પ્રાપ્ત થઈ સંસારમાં જ ભ્રમણ કરે.” ક્યાં નવા પંથીનું એક બાજુ આ પ્રતિપાદન ? અને ક્યાં બીજી બાજુ દરેક દ્રવ્યના પર્યાયો સ્વતંત્ર અને નિયતરૂપે ગોઠવાયા હોવાનું અને તેથી પરદ્રવ્યના નિમિત્તથી એમાં કશો ફેરફાર ન થઈ શકવાનું પ્રતિપાદન ? એટલે જ ક્યાં સ્વાનુયાયીને શુભ નિમિત્તો મૂકાવી દેવાનું કાર્ય ? પછી ભલે સાક્ષાત્ ન મૂકાવ્યા પણ ઉપદેશ એવા રૂપનો કર્યો કે પરિણામ એ આવીને ઊભેલું આજે દેખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org