________________
૧૩૧
પરદ્રવ્ય માર્ગદર્શનનું કાર્ય કરો. આવી ભાવના ભાવવાનો શો અર્થ છે ? ‘ધૂળથી પેટ ન ભરાય’ એમ જાણવા છતાં ભાવવું કે ‘આ ધૂળથી પેટ ભરાઓ' એ બેવકૂફી કે બીજું કાંઇ ?
(૪) નૂતન પંથ કાઢનાર કુંદકુંદાચાર્યના કથન તરીકે કહે છે કે ‘આત્મદ્રવ્ય પ્રમત્ત નથી અપ્રમત્ત નથી. એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણકાર અખંડ છું. આ મહામુનિનું કથન છે', આમાં એમને એ પૂછો કે પ્રમત્ત નહિ અને અપ્રમત્તે ય નહિ એવો શુદ્ધ આત્મા નિષેધ કરી શકે ? અર્થાત્ બેઉ અવસ્થા આત્માની નથી એવું શુદ્ધ આત્મા કહી શકે ? અને જો કહેવું છે તો બેમાંથી એક દશા તો આવવાની જ. શુદ્ધ બનેલા આત્મા તો સિદ્ધના આત્મા; એમને ક્યાં બોલવું જ છે ? ક્યાં નિષેધ કરવો છે ? બોલનાર તો અસિદ્ધ છે. એ તો પ્રમત્ત કે અપ્રમત્ત હોય છે. એટલે ઉ૫૨નું કથન ‘મારી મા વંધ્યા' જેવું છે. છતાંય એવું કથન કેમ કરે છે ? બીજા જીવોને એમ સમજાવવા કે ‘આત્મા પ્રમત્ત નથી અપ્રમત્ત નથી.' આ શબ્દોથી બીજા સમજો. એનું જ નામ નિમિત્તની અસર માની છે. નહિતર તમે તમારા મનમાં સમજી રાખો ને ? બહાર કહેવાનું શું કામ છે ?
(૫) સમયસાર ગાથા ૧૨માં કહ્યું છે કે, ‘શ્રદ્ધા-જ્ઞાનચારિત્રની પૂર્ણતા પામેલાને શુદ્ઘનય જાણવા યોગ્ય છે. જ્યારે પૂર્ણતા ન પામેલા, પણ જે હજી સાધક અવસ્થામાં છે તે વ્યવહાર દ્વારા ઉપદેશવા યોગ્ય છે.' એમ કહીને એ સૂચવ્યું કે એવા જીવને શુભ વ્યવહારનું નિમિત્ત અને એનો ઉપદેશ ખૂબજ અસર કરશે. આમાં નિમિત્તને ક્યાં જરાય નકામું ગણ્યું ? વિવેચનમાં લખે છે કે જેટલું અશુદ્ધ નયનું કથન છે એ યથાપદવી (સ્વસ્થાનના હિસાબે) પ્રયોજનવાળું છે.' એનો અર્થ એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org