________________
૧૩૦
શ્રી સદ્ગુરુદેવ જ હોવાથી... (૩) આ અનુવાદમાં અનેક ભાઇઓની મદદ છે.. (૪) આ અનુવાદ ભવ્યજીવોને યથાર્થ માર્ગ બતાવો, એવી મારી અંતરની ભાવના છે.’
જો નિમિત્ત કાંઇ જ કરી શકતું નથી, તો અનુવાદકારના આ વાક્યો જાણે કેવા મદિરાપાનના કેફમાંથી બોલાયા-લખાયા ગણાય ! કેમ કે એ નિમિત્તની નીતરતી પ્રધાનતા કહી રહ્યા છે; નિમિત્ત મહાકાર્ય કરે છે એમ કહી રહ્યા છે. (૧) ‘અનુવાદ કરવાનું ભાગ્ય મને મળ્યું' એ કહેવાનો અર્થ જ એ છે કે ‘અનુવાદરૂપી શબ્દરચના મેં કરી; શબ્દરચનાનું ઉપાદાન તો જુદી અવસ્થામાં હતું, પણ મારું નિમિત્ત પામી એ વ્યવસ્થિત શબ્દદેહ પામ્યું.' (૨) વળી પોતાની શક્તિનું મૂળ સદ્ગુરુને ગણ્યા ! અલ્યા ભાઇ ! શક્તિનું મૂળ સ્વકીય ઉપાદાન આત્મા કે ગુરુદેવ ? ગુરુદેવને સર્વ શક્તિનું મૂળ એટલે કે અનન્ય સાધન કહેવામાં નિમિત્તની અને પરદ્રવ્યની કેવીક મહાન અસર ગણી ! (૩) સાથે અનુવાદરૂપી મષીકાર્યમાં બીજા ભાઇઓની મદદ જણાવી, એ પણ નિમિત્તને જ આગળ કર્યું ને ? છેવટે (૪) અંતરની ભાવના કહી કે આ અનુવાદ ભવ્ય જીવોને યથાર્થ માર્ગ બતાવો. નિમિત્તની અસર ન માનનારના મતે આ બની શકે ? યથાર્થ માર્ગદર્શન એ તો પોત પોતાના આત્મારૂપી ઉપાદાનનું કાર્ય છે. એમાં પરદ્રવ્યભૂત અનુવાદ ગ્રંથરૂપી પુદ્ગલ શું કરી શકે ? છતાં એમને માર્ગદર્શનમાં અનુવાદને પ્રબળ નિમિત્ત બનાવવું છે. તે પણ પોતાની અંતરની ભાવના ! એટલે કે જાણે વસ્તુસ્થિતિ તેવા સ્વરૂપે જ બનો એવી હાર્દિક ઇચ્છા ! આમ તો હ્રદય એમ સમજે છે કે ભવ્ય જીવને માર્ગદર્શન થવામાં નિમિત્ત કે પરદ્રવ્ય કાંઇ જ ન કરી શકે, છતાં ભાવના એવી ભાવે છે કે અનુવાદરૂપી નિમિત્ત, અનુવાદરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org