SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસારાદિ ગ્રંથમાં નિમિત્તની અસરનું સમર્થન (તથા એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસરનું સમર્થન) અત્યાર સુધીમાં નવા મતના સમયસાર-પ્રવચનસારાદિ ગ્રંથોના જ આધાર બતાવી બાહ્ય વ્યવહારની આવશ્યકતા સાબિત કરી. તેમજ પૂર્વે નવો પંથ કાઢનાર અને એમના અનુયાયીઓ કેટલો બધો બાહ્ય વ્યવહાર પોતાના માનેલા ઇષ્ટની સિદ્ધિ અર્થે આચરે છે તે પણ બતાવ્યું હતું. વળી સાથે એ પણ બતાવ્યું હતું કે નિમિત્તની ઉપાદાન પર અર્થાત્ એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર અસર થવાનું સમજીને જ એ લોકો કેટકેટલી પ્રવૃત્તિ કરે છે અને એનું તેવા પ્રકારનું ફળ પણ કેવું કેવું દેખે છે. હવે એ બતાવવું છે કે એ જ સમયસારાદિ ગ્રંથોમાં (૧) નિમિત્તની અસર એક દ્રવ્યની બીજા દ્રવ્ય પર કેવી કેવી બતાવી છે, (૨) કાર્યને નિમિત્ત કારણની પણ કેવી અપેક્ષા રહે છે; અને (૩) સાધકે નિમિત્તનું અવલંબન કરવાનું કેવું કેવું ફરમાવ્યું છે ! (૧) નવા પંથવાળા કહે છે કે કુંદકુંદાચાર્યે ખુદ સીમંધર ભગવાનની સાક્ષાત્ વાણી સાંભળીને એ ભગવાનના વચનના આધારે જ સમયસારાદિ ગ્રંથ રચ્યા. કહો, આમાં નિમિત્તની પ્રબળ અસર આવી કે નહિ ? કેમકે ભગવાનના શબ્દ એ જુદું દ્રવ્ય છે, કુંદકુંદાચાર્યનો આત્મા એ જુદું દ્રવ્ય છે અને ગ્રંથલેખનમાં મષીના પુદ્ગલ એ અલગ દ્રવ્ય છે. છતાં એ કહે છે કે પ્રભુના શબ્દના આધારે જ આચાર્યે ગ્રંથ લખ્યો. અર્થાત્ ગ્રંથ નિર્માણરૂપ કાર્યનું ઉપાદાન તો મષી પુદ્ગલો છે, પરંતુ એ કાર્ય થવામાં પ્રભુના શબ્દ પુદ્ગલરૂપી પરદ્રવ્યે પ્રબળ અસર કરી. એવી રીતે, એમાં જે કુંદકુંદાચાર્યની વિશેષતા ગાય છે ત્યાં પણ આચાર્યના આત્મદ્રવ્યરૂપી નિમિત્તે ગ્રંથરચનાના કાર્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy