________________
( ૧૨૭
વ્યવહારની જરૂર નહિ ? એ માત્ર તમે માનેલો વ્યવહાર નકામો, વ્યવહાર અસત્યાર્થ, નિશ્ચય સત્યાર્થ' એવી એવી રટણાથી અને નિશ્ચય સાધનાના જ ઢોંગથી જ વીતરાગી દશા કેળવી કેવળજ્ઞાન અને મોક્ષ પામી જશે, એમ ? બહુ ઉંચે ચઢેલા નિગ્રંથનેય હજી ઉંચે જવા માટે કડક વ્યવહારની જરૂર છે, તો અઢાર પાપસ્થાનકના ખાડામાં પડેલા ગૃહસ્થને કડક કે પોચા શુભ વ્યવહારની શું જરૂર જ નથી ? નથી લાગતું કે ગૃહસ્થોને શુભ વ્યવહારથી વંચિત રાખી કસાઈ કરતાં પણ અનેકગણું ભયંકર એનું ખૂન તમે કરી રહ્યા છો ? કેમ કે શુભ વ્યવહાર ત્યજી અશુભ વ્યવહારમાં આત્માને રગદોળી એને અનુરુપ આંતરિક પાપવૃત્તિઓ સેવીને નરકાદિ દુર્ગતિમાં અસંખ્ય મૃત્યુની ભયાનક પીડાઓ પામશે. જે કુંદકુંદાચાર્ય વગેરે ઉપદેશકો મોક્ષસાધકોને વ્યવહાર અવશ્ય આચરવા કહે છે. તે તો સાચે જ વ્યવહારમૂઢ નથી, પરંતુ તમે શું ખરેખરા નિશ્ચયમૂઢ નથી?”
એ જુઓ કે જો કુંદકુંદાચાર્ય વગેરે ઉપદેશકો મોક્ષ સાધકોને બાહ્ય વ્યવહારમાર્ગ અવશ્ય આચરવા કહે છે, તો તે તો નિશ્ચયમૂઢ નહિ કહેવાય, પણ તમે બાહ્ય વ્યવહારને નિંદી એકાંત નિશ્ચયમાર્ગનું એટલે નિશ્ચયાભાસનું આરાધન બતાવો છો તો તમે તો અવશ્ય નિશ્ચયમૂઢ છો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org