________________
૧૨૫
પરવશતા-સુખશીલતા-સ્નાન-સુંવાળી શય્યા ચાંદીના થાળમાં અનેકવારના ભોજન વગેરેની પ્રવૃત્તિ આત્માનું શું શું અધઃપતન નહિ કરે? આત્માના અધિકારી અને જડથી મુક્ત શુદ્ધ સ્વરૂપનો જે વિચાર કરવો છે એની વાસ્તવિક અનુકૂળતા ક્યાં એ સમજવા જેવું છે. શું એ અનુકૂળતા વિકારક પ્રવૃત્તિ-પદાર્થો અને પ્રસંગોમાં કે એનાથી રહિત દશામાં ? શું એ બહુ જડના ઘેરાવામાં કે જડથી બહુ અલિપ્ત-દૂર રહેવામાં ?
(૩૧) પ્રવચનસાર ગાથા ૨૨૯માં લખે છે કે - एक्कं खलु तं भत्तं, अपडिपुण्णोदरं जहालद्धं । चरणं भिक्खण दिवा, ण रसावेक्खं ण मधुमंसं ॥
ગાથાનો અર્થ – “એકવાર ભોજન, તે પણ ઉનોદરી અને જેવું મળ્યું તે જ; વળી ભોજન માટે ભિક્ષાર્થે જવાનું; તે પણ દિવસના; એમાં રસની અપેક્ષા નહિ રાખવાની તેમ મધ-માંસ નહિ વાપરવાના.”
(૩૨) અમૃતચંદ્રીય ટીકામાં લખે છે કે “દોષિત આહાર નહિ લેવાનો... દ્રવ્ય હિંસા ભાવહિંસાનું કારણ છે.”
હવે આમાં પણ જુઓ કે ઠેઠ નિગ્રંથ અવસ્થાએ પહોંચેલ મુનિને પણ કેવા કડક વ્યવહાર પાળવાનું સુંદર પ્રતિપાદન કર્યું. હવે આપણે નવો પંથ કાઢનારને પૂછીએ કે -
“મહાનુભાવ ! જેણે ઘર છોડ્યા, કુટુંબ છોડ્યું, સંપત્તિ છોડી, આખો સંસાર ત્યજયો અને આત્મભાવમાં લીન રહે છે, એને હવે એક ભોજન શા અને ઉનોદરી શી ? એને ભિક્ષા માટે જવું જ પડે એ શું, અને દોષિત એટલે કે સાધુ-નિમિત્તે બનેલો આહાર ન જ લેવાય એ શું ? આ બધા બાહ્ય વ્યવહારની શી જરૂર ? હવે એ બે વાર - ત્રણ વાર ખાય તોય એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org